વલસાડ: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે શુક્રવારે ધરમપુરના જાહેર માર્ગ પર આરોગ્ય વિભાગ દ્રારા વીશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગ દ્વારા કેન્દ્રની યોજના અંતર્ગત જાગૃતતા રેલી યોજાઈ હતી, જે ધરમપુરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત 'બેટી બચાઓ, બેટી પઢાવો' રેલી ધરમપુર પોલીસે અટકાવી
'બેટી બચાઓ, બેટી પઢાવો'ની વલસાડ આરોગ્ય વિભાગ દ્રારા કાઢવામાં આવેલી રેલીને પોલીસ દ્વારા અટકાવાઈ હતી. જેને લઈ વહીવટી તંત્ર વચ્ચે સંકલન ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી સમગ્ર જિલ્લામમાં અધવચ્ચે રેલી અટકાવી દેવાના વિષયે ચર્ચાનું જોર પકડ્યું હતું.
આ દરમિયાન ધરમપુર પોલીસ દ્વારા પરવાનગી બાબતે તેને અટકાવી દેવામાં આવી હતી. જો કે, કલેક્ટરના બહાર પાડવામાં આવેલા સભા સરઘસ રેલી અંગેના જાહેરનામામાં પણ સરકારી વિભાગને રેલીઓની છૂટછાટ હોય છે. આ ઉપરાંત તેના માટે કોઈ પરવાનગી લેવાની રહેતી નથી, જે સ્પષ્ટ પણે જાહેરનામાની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ છતાં પોલીસ દ્વારા પરવાનગી લેવામાં આવી નથી, એવું કહીને તેને અટકાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામામાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવમાં આવે છે કે, સરકારી રેલી, કાર્યક્રમોને જાહેરનામું લાગુ પડતું નથી. છતાં ધરમપુર પોલીસે રેલી અટકાવી દેતા પોલીસે જાહેરનામાનું અધ્યયન ન કર્યું હોવાનું જણાય આવ્યું હતું. બીજી તરફ પોલીસનું કહેવું હતું કે, રેલી માટે આરોગ્ય વિભાગે પોલીસ પરવાનગી લીધી ન હતી. જો કે, બાદમાં રેલીને જવા દેવામાં આવી હતી.
બેટી પઢાવો બેટી બચાવો ની વલસાડ આરોગ્ય વિભાગ દ્રારા કાઢવામાં આવેલી રેલી ને પોલીસ દ્રારા અટકવાઈ હતી જેને લઈ વહીવટી તંત્ર વચ્ચે સંકલન ન હોવાનું બહાર આવ્યું હતું જોકે અધવચ્ચે રેલી અટકાવી દેવતા સમગ્ર બાબત જિલ્લા માં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે બાદ માં રેલી રવાના કરવામાં આવી હતી મહત્વનું છે કલેકટર નું જાહેર નામું સભા સરઘસ કે રેલી નું બહાર પાડવા માં આવેલું હોય એમાં પણ સરકારી રેલી કે સરઘસ ને તે લાગુ પડતું નથી છતાં આજે પોલીસ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત રેલી અટકાવવામાં આવી શુ જાહેર નામાંનું વાંચન પોલીસ અધિકારી એ નહિ કર્યું હોય Body:
હાલ ચાલી રહેલ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકાઓમાં જાગૃતયા રેલીનું આયોજન કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે આજ રોજ ધરમપુર ના જાહેર માર્ગ પર આરોગ્ય વિભાગ દ્રારા વીશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી વિભાગ દ્વારા કેન્દ્ર ની યોજના અંતર્ગત જાગૃતતા રેલી યોજાઈ હતી જે ધરમપુરના વિવિધ વિસ્તારો માં ફરી રહી હતી ત્યારે ધરમપુર પોલીસ દ્વારા પરવાનગી બાબતે તેને અટકાવી દેવાઈ હતી જોકે કલેકટર ના બહાર પાડવામાં આવેલા સભા સરઘસ રેલી અંગે ના જાહેરનામા માં પણ સરકારી વિભાગને રેલીઓ ને છૂટછાટ હોય છે જેના માટે કોઈ પરવાનગી લેવાની રહેતી નથી જે સ્પષ્ટ પણે જાહેરનામા ની નકલ માં ઉલ્લેખ કરાયેલો છે છતાં પૂર્વ પોલીસ પરવાનગી ન લેવામાં આવી હોવાનું જણાવી જેને પોલિસે અટાવી હતી Conclusion:નોંધનીય છે કે જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા માં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવમાં આવે છે કે સરકારી રેલી કાર્યક્રમોને જાહેર નામું લાગુ પડતું નથી છતાં ધરમપુર પોલીસે રેલી અટકાવી દેતા પોલીસે જાહેરનામા નું અધ્યયન ન કર્યું હોવાનું જણાય આવ્યું હતું બીજી તરફ પોલીસ નું કહેવું હતું કે રેલી માટે આરોગ્ય વિભાગે પોલીસ પરવાનગી લીધી ન હતી જોકે બાદ માં રેલી જવા દેવામાં આવી હતી