ગુજરાત

gujarat

Vadodara Accident: અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 5 નાં મોત

By

Published : Feb 24, 2023, 1:07 PM IST

Updated : Feb 24, 2023, 4:52 PM IST

અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. રીક્ષામાં સવાર પરિવારના 5 ના મોત થયા છે. જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. મોડી રાત્રે અકસ્માત થયો હોવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Vadodara Accident Case: અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીક્ષામાં સવાર પરિવારના 5 ના મોત
Vadodara Accident Case: અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીક્ષામાં સવાર પરિવારના 5 ના મોત

Vadodara Accident Case: અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રીક્ષામાં સવાર પરિવારના 5 ના મોત

વડોદરા:શહેરના અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. રીક્ષા અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં નાયક પરિવારના 5 લોકોને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે. જેમાં એક આઠ વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો છે. ઘટના સ્થળે ત્રણ ના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. તમામના મૃતદેહ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત

કાર બની કાળ:પાદરા ગામના આ નાયક પરિવારના સભ્યો રિક્ષામાં સવાર હતા. તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિવાર રીક્ષામાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતકો પાદરાના લોલા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એકમાત્ર આબાદ બચેલ 8 વર્ષીય આર્યન અરવિંદ નાયક ઇજાગ્રસ્ત છે. તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો Surendranagar Car Accident: રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ઈકોનો અકસ્માત, રસ્તા પર રેલમછેલ

કાર ચાલકની શોધખોળ:હાલમાં આ અકસ્માત અંગે પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી આપ્યા છે. આ અકસ્માત સર્જી ફરાર થયેલ કાર ચાલકની શોધખોળ આરંભી છે. આ અકસ્માતમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પોસ્ટમોર્ટમ બાદ કરવામાં આવશે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે અકસ્મતાન બનાવ બની રહ્યા છે. જોકે, આ કેસમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓની નનામી એક સાથે ઊઠતા સંબંધીત પરિવારજનોમાં માતમનો માહોલ છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર અકસ્માત થતા લાંબા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Last Updated :Feb 24, 2023, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details