ગુજરાત

gujarat

Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

By

Published : Feb 2, 2023, 1:56 PM IST

વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે (Usurer case In Gujarat) ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ
Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

વડોદરા:દિવસેને દિવસે વ્યાજખોરોના કેસમાં વધારો થતો જાય છે. જરોદ પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક વ્યાજખોરીનો ગુનો સામે આવ્યો છે. આ વ્યાજખોરે પશુપાલકને આપેલા રૂપિયા 5 લાખની સામે વ્યાજ સાથે મૂડી વસૂલ કરવા છતાં પણ અગાઉ સિક્યુરિટી પેટે આપેલાં ચેક વટાવી લીધો હતો. તેમજ મકાનનો દસ્તાવેજ કરાવી લીધો. એટલું જ નહીં પરંતુ વ્યાજખોર દ્વારા હેરાન ગતિ પણ ચાલુ હતી.

ફરિયાદ નોંધાવી:જરોદ ખાતે રહેતા અમરસિંહ નારાયણભાઈ બારીયા જે પોતે ખેડૂત છે અને તેઓએ ગામમાં રહેતા પીન્ટુ જયસ્વાલ પાસેથી રૂપિયા પાંચ લાખ પ્રતિ માસના 3% ના વ્યાજે લીધા હતા અને પીન્ટુ જયસ્વાલ દ્વારા બોગસ બાનાખત કરી છેતરપિંડી કરાઈ હતી. જેથી પોલીસે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં

છેતરપિંડી આચરી:આ ખેડૂત પાસેથી પીન્ટુ જયસ્વાલે રૂપિયા પાંચ લાખની સિક્યુરિટી પેટે 8 કોરા ચેક અને પોતાનું સુલભ સોસાયટીમાં આવેલ મકાનનો બાનાખત કરવાને બદલે દસ્તાવેજ કરી લીધો હતો. વ્યાજે લીધેલાં રૂપિયા પુરા થઈ ગયા બાદ મકાનનો દસ્તાવેજ પરત કરી આપીશું એમ પીન્ટુ જયસ્વાલે કહયું હતું. આ વ્યાજખોરે એક મકાનના બદલે બે મકાનના દસ્તાવેજ કરી દીધા.

આ પણ વાંચો Usurer case In Gujarat: નવસારીમાં પોલીસ એક્શન, ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા

જાનથી મારી નાખવાની ધમકી:આ ખેડૂત ભાઈના પોતાના બે મકાનો આ વ્યાજખોરે પડાવી લીધા અને વ્યાજખોરોએ જણાવ્યું હતું કે, જો રૂપિયા નહીં આપો તો તમને ઝાડથી મારી નાખીશું. તેમજ આ લખાવી લીધેલા મકાનોમાં 2014 થી આજ સુધીની સુધીનું ભાડું પણ વસુલ કર્યું હતું. આ કરજદાર ખેડૂતે તમામ રૂપિયાની વસૂલ કરી દેવા છતાં પણ મકાનનો દસ્તાવેજ પરત કરવાને બદલે આ વ્યાજખોરે પીન્ટુ જયેસ્વાલે સિક્યુરિટી પેટે લીધેલા આઠ કોરા ચેકમાં રકમ ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ કરજદાર વ્યાજખોર પીન્ટુ જયસ્વાલને દસ્તાવેજ પરત અરજ કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી:વ્યાજખોરના ચક્કરમાં ફસાયેલા અમરસિંહ બારીયાને કોઈ રસ્તો ન મળતા પ્રવર્તમાન ગૃહપ્રધાન વ્યાજખોરોને ડામવા માટેની મુહિમને લઈ હિંમત કેળવી જરોદ પોલીસ સ્ટેશન ખાતે પીન્ટુ જેસ્વાલ સામે વ્યાજખોરી અંગેના ગુનો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેથી જરોદ પોલીસ તંત્ર એ આ પિન્ટુ જેસ્વાલ સામે મની લેન્ડીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરી દીધા હતા. આમ આ બનાવ બનતાની સાથે જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details