ગુજરાત

gujarat

ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત

By

Published : Jul 21, 2019, 8:09 PM IST

Updated : Jul 23, 2019, 12:01 PM IST

અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાના વેજપુર ગામમાં કુમાર છત્રાલયમાં રસોઈ કામ કરતા 40 વર્ષિય દિનેશનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કુમાર છાત્રાલય બહાર ઝાડ પરથી વીજ તાર પસાર થતો હતો. જેનો કરંટ લાગતા દિનેશનું મોત નિપજતા વેજપુર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત

આ ઘટનાની જાણ છાત્રાલયના સંચાલકો અને ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભોગ બનેલા દિનેશના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ચૌધરીએ મોત વીજ કરંટથી નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.

આ અંગે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:ભિલોડાના વેજપુરમાં છાત્રાલયના રસોઈ કામદારનું વીજ કરંટથી મોત

મોડાસા- અરવલ્લી

ભિલોડા તાલુકાના વેજપુર ગામની કુમાર છત્રાલયમાં રસોઈ કામ કરતા 40 વર્ષિય દિનેશ ભાઈ લક્ષમણભાઈ ભાઈનું વીજ કરન્ટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કુમાર છાત્રાલય બહાર ઝાડ પરથી પસાર થતા વીજ તારનો કરન્ટ ઉતરતા મોત નિપજતા વેજપુર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.


Body:ઘટનાની જાણ છાત્રાલયના સંચાલકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભોગ બનેલા દિનેશભાઇ ના મૃતદેહ ને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પી.એમ ની પ્રક્રિયા બાદ ભિલોડા કોટેજ હોસ્પિટલમાંં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ ચૌધરી એ મોત વીજ કરંટથી નીપજ્યું હોવાનું પ્રાથમીક તારણ આપ્યુ હતું . ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોટો- સ્પોટ Conclusion:
Last Updated :Jul 23, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details