મહીસાગરઃ લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદાકરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી કડાણા તાલુકાના લાયઝન અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પટેલના માર્ગદર્શન તથા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્યની ટીમની રાહબરી હેઠળ આરોગ્યકર્મીઓ દ્વારા મુનપુર ગામના બજારમાં આવેલા પ્રોવિઝન સ્ટોર, શાકભાજી ફ્રુટનાવેપારીઓ, વાહન રીપેરીંગ કરતી વ્યકિતઓ તેમજ પોસ્ટમેન મળી કુલ-22 વ્યકિતઓના
RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા હતા.