ગુજરાત

gujarat

સુરતમાં સાતમા માળેથી યુવક નીચે પટકાતા મોત

By

Published : Oct 26, 2021, 5:31 PM IST

સુરત(Surat) શહેરમાં એક 18 વર્ષનો છોકરો સાતમાં માળેથી નીચે પડતાં મોત(death)ના મુખમાં જતો રહ્યો. સુરતના અઠવાલાઇન વિસ્તારમાં લાલબંગલા પાસે અભિષેક એપાર્ટમેન્ટનો આ બનાવ છે.

સુરતમાં સાતમા માળેથી યુલક નીચે પટકાતા મોત
સુરતમાં સાતમા માળેથી યુલક નીચે પટકાતા મોત

  • સુરતમાં 18 વર્ષનો છોકરો સાતમાં માળેથી નીચે પડ્યો
  • નીચેના ફ્લોરે લાકડી લઈને ટી શર્ટ લેવા જતાં બેલેન્સ ગુમાવ્યુ
  • યુવકનુ મુળ વતન બનાસકાંઠા છે રોજગારી માટે સુરતની પંથ પકડ્યો હતો

સુરતઃ સુરત(Surat) શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ લાલબંગલા પાસે અભિષેક એપાર્ટમેન્ટના સાતમા માળે ઘર-નંબર-507માં રહેતા ભગવાન રામસિંહ ચૌધરી ઉમર-18 વર્ષ તેઓ પોતાના ઘરની સાફસફાઈ કરતા હતા. તેમની નજર અચાનક ઘરના દોરી ઉપર ગઈ હતી. જો કે ત્યાં તેમણે પોતાનો ટી શર્ટ સુખાવા માટે મૂક્યુ હતુ. તે ટી શર્ટ ત્યાંથી ઉડી નીચેના ફ્લોરે અટક્યુ હતુ. તે ટી શર્ટને લાકડી વડે લેવા જતા બેલેન્સ બગડતા નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે મોત(death) થયું હતું. આ જોઈ તેમની સાથે રહેતા મંથનભાઈએ 108ને જાણ કરી હતી. ત્યાંથી મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના ઇમર્જનસી વિભાગના ડૉ. જીગનેશ શાહે ભગવાન ચૌધરીને મૃત જાહેર કર્યો.

સુરત રોજગારી માટે આવ્યો હતો

યુવક મૂળ બનાસકાંઠા(Banaskantha)નો રહેવાસી છે તેના પરિવારમાં કુલ સાત લોકો છે. પોતે પરણિત હતો અને બે વર્ષ પેહલા લગ્નન થયાં હતા. તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે સુરત રોજગારી માટે આવ્યો હતો. મૃતક ભગવાન રામસિંહ ચૌધરીને ભાડેથી રહેતો હતો.

ઉમરા પોલીસે બોડી કાબેજ લઈ આગળની તપાસ હાથ ધરી છે

આ બાબતે ઉમરા પોલીસ(Umra police)ના તપાસ કરતા પોલીસ અધિકારી ASI દિનુભાઈ રમણભાઈ વસાવાએ જણાવ્યું કે, હાલ તો અમે તપાસ કરી રહ્યા છીએ. ઘટના સ્થળે પણ અમે જઈ તપાસ કરી છે. તેઓ ઉપરથી જ પડ્યા છે. એ હક્કીત છે.

આ પણ વાંચોઃ એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર : શ્રમ સર્વેક્ષણ

આ પણ વાંચોઃ કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House

ABOUT THE AUTHOR

...view details