ગુજરાત

gujarat

Tiranga Yatra 2023 : સુરતમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

By

Published : Aug 14, 2023, 10:37 PM IST

આજે દેશ અને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત શહેરમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા અને લોકોમાં દેશભક્તિનો પ્રેમ દેખાઈ રહ્યો હતો.

Tiranga Yatra 2023
Tiranga Yatra 2023

સુરતમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

સુરત :ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. તેની સાથે જ કોમી એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું હતું. આ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા અને લોકોમાં દેશભક્તિનો પ્રેમ દેખાઈ રહ્યો હતો.

ભવ્ય તિરંગા યાત્રા : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા આખા દેશ અને ગુજરાતમાં પણ ભવ્ય તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા લગાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે. આખા દેશે તેમના આ આહ્વાનને ઝીલી લીધું છે. તેમાં ગુજરાત અને સુરત પણ પાછળ નથી.

લોકોમાં દેશભક્તિ :સુરતમાં સવારથી જ અલગ અલગ ઝોન અને વોર્ડમાં ખૂબ જ મોટી તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ગઈકાલે પણ કાઢવામાં આવી હતી. અને આવતીકાલે પણ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. લોકોમાં દેશભક્તિનો પ્રેમ દેખાઈ રહ્યો છે.

તો આવો આપણે સંકલ્પ કરીએ છીએ કે આ સ્વતંત્રતાને નેવે જવા દઈએ નહીં. શહીદોની કલ્પના મુજબ સ્વતંત્ર ભારત હિન્દુ વિકાસના પંથે લઇ જવા માટે આપણા સૌનો યોગદાન અને સંકલ્પ કરીએ છીએ. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેઓએ જે ચેતના આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા દ્વારા આપી છે. તેના દ્વારા દેશના યુવાનોમાં ખૂબ મોટી જાગૃકતા ફેલાઈ છે.-- સી.આર.પાટીલ ( ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ)

મશાલ રેલી : સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, આજે ચૌદમી ઓગસ્ટના રોજ આપણા દેશના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. આ વિભાજનના કારણે લગભગ 20 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આજે આપણે એ લોકોને પણ યાદ કરીએ છીએ. એટલા માટે જ આપણે તિરંગા યાત્રા પછી રાત્રે મશાલ રેલી અને મૌન રેલીનું આયોજન કરીએ છીએ. કારણ કે, આ વિભાજનના કારણે ખૂબ જ મોટી જાનહાની થઈ હતી.

નાગરિકોને અપીલ : દેશને સ્વતંત્રતા અપાવવામાં કેટલાય લોકોએ પોતાની જવાની જેલમાં કાઢી હતી. તેઓએ અંગ્રેજોના જુલમ સહન કર્યા છે. આ તિરંગા યાત્રા દ્વારા તેવા શહીદો અને તેમના પરિવારોને આપણે યાદ કરી રહ્યા છીએ. સ્વતંત્ર ભારત હિન્દુ વિકાસના પંથે લઇ જવા માટે આપણા સૌનો યોગદાન અને સંકલ્પ કરીએ છીએ.

  1. Tiranga Yatra 2023 : નવસારીમાં ભવ્ય તિરંગા યાત્રા, 75 મીટર લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ
  2. Jamnagar Tiranga Rally : શાનદાર તિરંગા રેલીમાં જોડાયાં આર્મી, નેવી અને પોલીસના જવાનો, દેશભક્તિનો રંગ જામ્યો

ABOUT THE AUTHOR

...view details