ગુજરાત

gujarat

ચંદી પડવા પૂર્વે ઘારીની ખરીદી કરવા સુરતીલાલાઓની ભીડ

By

Published : Oct 14, 2019, 10:33 AM IST

સુરત: સ્વાદિષ્ટ ઘારીની મજા માણવાનો દિવસ એટલે ચંદી પડવાનો અનેરો પર્વ. સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ઘારીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. દેશ અને વિદેશમાં વખણાતી સુરતની ઘારીના જથ્થાબંધ ઓર્ડર મીઠાઈ વિક્રેતાઓને મળી રહ્યા છે. એડવાન્સ ઓર્ડરના પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હોમ ડિલિવરી અને ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. દર વખતની જેમ આ વખતે પણ સુરતીલાલાઓ માટે અલગ-અલગ વેરાયટીઝની ઘારીઓનું વેચાણ થઈ રહ્યુ છે.

surati celebrate chandi padvo by eating ghari

એક તરફ મંદીની બુમરાણ છે, ત્યાં બીજી તરફ તહેવારોની સિઝન. તહેવાર કોઈ પણ હોય પરંતુ, સુરતીલાલાઓમાં મંદી વચ્ચે પણ તહેવારોની ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ હોય છે. તેમાં ખાસ કરીને જ્યારે ચંદી પડવાનો પર્વ હોય ત્યારે સૌ કોઈ પરિવાર સાથે ઘારી - ભૂંસાની જ્યાફત માણવાની તક છોડતા નથી. તેવામાં ઘારીના શોખીન સુરતીલાલાઓના મનગમતા તહેવાર ચંદી પડવા નિમિત્તે મીઠાઈની દુકાનો પર ઘારીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. સુરતીલાલાઓના જણાવ્યા અનુસાર મંદી છતાં તેઓ આ પર્વને ઉજવવા ભારે ઉત્સુક છે. સહ - પરિવાર સાથે મળી ચંદી પડવાના પર્વને ફૂટફાટ પર બેસી ચાંદની રાતમાં ઘારી - ભૂંસાની જ્યાફત માણવા તેઓ ઘણા દિવસોથી આ પર્વની વાટ જોઈ રહ્યા છે. જેને લઈ એડવાન્સમાં જ ઘારીની ખરીદી કરી રહ્યા છે.

ચંદી પડવો: સુરતીલાલા માણશે ઘારી-ભૂંસાની મોજ
સુરતમાં ઘારીના અલગ અલગ ફ્લેવર અને ભાવ.માવા ઘારી - 620 રૂપિયા પ્રતિકીલોબદામ પિસ્તા ઘારી - 680 રૂપિયા."સ્પે.કેસર પિસ્તા ઘારી - 720 રૂપિયા."સ્વીસ.ચોકલેટ નટ્સ ઘારી - 720 રૂપિયા."ક્રીમ એન્ડ કુકીસ ઘારી - 700 રૂપિયા."કાજુ મેંગો મેજીક ઘારી - 700 રૂપિયા."અંજીર અખરોટ ઘારી - 700 રૂપિયા ."સ્ટ્રોબેરી નટ્સ ઘારી - 700 રૂપિયા."કલકતી પાન મસાલા ઘારી - 700 રૂપિયા."સ્પે.કૃષ્ણ કસ્તુરી ઘારી - 800 રૂપિયા."( અફઘાની દ્રાયફૂટ ઘારી)સ્પે.સુગર ફ્રી કેસર બદામ પિસ્તા ઘારી - 840 રૂપિયા."ઘારીના ભાવમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી ગ્રાહકોને પણ રાહત મળી રહે.
Intro:સુરત : સ્વાદ પ્રિય ઘારી ની મજા માણવાનો દિવસ એટલે ચંદી પડવાનો અનેરો પર્વ..આજે ચંદી પડવાના છે ત્યારે સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ધારી નું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે.મીઠાઈ ની દુકાન ઉપર ગ્રાહકો જથ્થાબંધ ઘારીની ની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં વખણાતી સુરતની સ્વાદ પ્રિય ધારી ના ઓર્ડર પણ જથ્થાબંધ લૌટ માં મીઠાઈ વિક્રેતાઓ ને મળી રહ્યા છે...જથ્થાબંધ ઓર્ડર ના પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હોમ ડિલિવરી અને ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.જ્યાં દર વખતની જેમ આ વખતે પણ સુરતીલાલાઓ માટે અલગ-અલગ વેરાયટીઝ ની ઘારીઓ નું વેચાણ મીઠાઈ વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.



Body:સુરત માં એક તરફ મંદી ની બુમરાણ છે ત્યાં બીજી તરફ તહેવારો ની સિઝન.તહેવાર કોઈ પણ હોય પરંતુ સુરતીલાલાઓ આ મંદિ વચ્ચે પણ તહેવારો ની ઉજવણી કરવા બિલકુલ પણ ચુકતા નથી.તેમાં પણ ખાસ કરીને જ્યારે ચંદી પડવાનો પર્વ હોય ત્યારે સૌ કોઈ પરિવાર સાથે ઘારી - ભૂંસાની જ્યાફત માણવાની તક સુરતીલાલાઓ ક્યારેય પણ છોડતા નથી.તેવામાં ઘારીના શોખીન સુરતીલાલાઓના મનગમતા તહેવાર ચંદી પડવા આજે છે ત્યારે સુરતમાં મીઠાઈ ની દુકાનો પર ઘારી નું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે.સુરતીલાલાઓ ના જણાવ્યાનુસાર મંદી છતાં તેઓ આ પર્વને ઉજવવા ભારે ઉત્સુક છે.સહ - પરિવાર સાથે મળી ચંદી પડવા ના પર્વએ ફૂટફાટ પર બેસી ચાંદની રાતમાં ઘારી - ભૂંસાની જ્યાફત માણવા તેઓ ઘણા દિવસોથી આ પર્વની વાટ જોઈ રહ્યા છે.જેને લઈ એડવાન્સમાં જ ઘારીની ખરીદી કરી રહ્યા છે...


આજે સુરતમાં ઘારી ની અલગ અલગ ફ્લેવર અને ભાવ.


માવા ઘારી - 620 રૂપિયા પ્રતિકીલો

બદામ પિસ્તા ઘારી - 680 રૂપિયા."

સ્પે.કેસર પિસ્તા ઘારી - 720 રૂપિયા."

સ્વીસ.ચોકલેટ નટ્સ ઘારી - 720 રૂપિયા."

ક્રીમ એન્ડ કુકીસ ઘારી - 700 રૂપિયા."

કાજુ મેંગો મેજીક ઘારી - 700 રૂપિયા."

અંજીર અખરોટ ઘારી - 700 રૂપિયા ."

સ્ટ્રોબેરી નટ્સ ઘારી - 700 રૂપિયા."

કલકતી પાન મસાલા ઘારી - 700 રૂપિયા."

સ્પે.કૃષ્ણ કસ્તુરી ઘારી - 800 રૂપિયા."

( અફઘાની દ્રાયફૂટ ઘારી)

સ્પે.સુગર ફ્રી કેસર બદામ પિસ્તા ઘારી - 840 રૂપિયા."


Conclusion:ચંદી પડવા ના પર્વ પર શહેરમાં મીઠાઈની દુકાનો પર અલગ અલગ વેરાયટીઝ અને ફ્લેવર ની ઘારીઓ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.જે ઘારીઓની સુરતી લાલાઓ ખરીદી કરી રહ્યા છે.એટલું જ નહીં દેશ -વિદેશમાં વખનાતી સુરતની ઘારીઓ વિદેશોમાં પણ હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે.મીઠાઈ વિક્રેતાઓને અગાઉથી ઘારી ના જથ્થાબંધ ઓર્ડરો પણ મળી ચુક્યા છે....જે ઓર્ડરો પણ પુરા પાડવામાં આવી રહ્યા છે.આ અંગે મીઠાઈ વિક્રેતાએ જણાવ્યું કે,સુરતમાં એક તરફ મંદીનો માહોલ તો છે પરંતુ આ મંદીના માહોલને ભૂલી સુરતીઓ ચંદી પડવા ના પર્વની હર્ષોલ્લાસ થી સહ -પરિવાર ઉજવણી કરશે.કારણ કે સુરતીઓએ હમણાથી ઘારી ની ખરીદી શરૂ કરી દીધી છે.જો કે ઘારીના ભાવમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જેથી ગ્રાહકોને પણ રાહત મળી રહે.
બાઈટ : રાધા મીઠાઈવાળા (ઘારી વિક્રેતા)
બાઈટ : નૈનેશભાઈ ( ગ્રાહક)

ABOUT THE AUTHOR

...view details