ગુજરાત

gujarat

રાજ્ય સરકારની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નિરાશા

By

Published : Nov 13, 2019, 6:53 PM IST

સુરતઃ રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ રાજ્ય સરકારને મદદ માટે ગુહાર લગાવી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આજે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 2 લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જે પ્રત્યે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે.

રાજ્ય સરકારની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નિરાશા

700 કરોડ રૂપિયાની સહાયમાં ફક્ત કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે રાજ્ય સરકારની જાહેરાત છે, ત્યારે ખેડૂતો 'કોથળામાંથી બિલાડું કાઢ્યું' કહેવત ઉચ્ચારી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોના પાકને સીધી અસર થઇ હતી. જેના વળતરને લઈ આજે નીતિન પટેલે જાહેરાત કરી છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આ જાહેરાતથી નિરાશા જોવા મળી રહી છે.

રાજ્ય સરકારની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નિરાશા

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, 700 કરોડની આ જાહેરાતથી ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો જાહેરાત પ્રત્યે નિરાશા વ્યક્ત કરતાં જણાવી રહ્યા છે કે, "અત્યાર સુધી સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી. જે વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે. તે માત્ર લોલીપોપ સમાન છે. પૂરતાં વળતરની અપેક્ષા રાખતાં ખેડૂતોને તે પ્રમાણેનું વળતર ન મળતાં ખેડૂતોની હાલત વધુ દયનીય થવાની સંભવના વ્યક્ત કરી છે. "

સરકારે જણાવ્યું છે કે, 5 લાખ હેકટરની સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. SDRFના નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે. પિયત જમીનમાં એક હેકટરે રૂપિયા 13,500, બિન પિયત જમીનમાં રૂપિયા 6000 સહાય આપવામાં આવશે. કુલ 700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. જેમાં 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. પાક વીમા યોજનાથી અલગ-અલગ સહાય આપવામાં આવશે.

Intro:સુરત : 700 કરોડ રૂપિયા ની સહાય માં ફક્ત કમોસમી વરસાદ થી થયેલ નુકશાન અંગે રાજ્ય સરકાર ની જાહેરાત છે ત્યારે આ જાહેરાત ને લઈ ખેડૂતો કોથળામાંથી બિલાડું નીકળ્યું આ કહેવત ઉચ્ચારી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને પાક ને સીધી અસર થઇ હતી જેના વળતરને લઈને આજે નીતિન પટેલે જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાતને લઇને ગુજરાતના ખેડૂતો ખુશ નથી. ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તેઓને આ જાહેરાતથી નિરાશા થઈ છે અને તેઓએ આ જાહેરાતને માત્ર લોલીપોપ ગણાવ્યું છે.


Body:ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને આજે નીતિન પટેલે પોતે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે પરંતુ 700 કરોડની આ જાહેરાતથી ખેડૂતો ખુશ નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ જાહેરાતથી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે અત્યાર સુધી સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી અને જે વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે તે માત્ર લોલીપોપ સમાન છે જે વળતરની અપેક્ષા રાખીને લગાવીને બેસ્યા હતા તે વળતર નહીં મળતા આવનાર દિવસોમાં ખેડૂતોની હાલત વધુ દયનીય થાય એવું દક્ષિણ ગુજરાતના ખેડૂતો જણાવી રહ્યા છે.


Conclusion:સરકારે જણાવ્યું છે કે 5 લાખ હેકટરની સર્વેની કામગીરી પૂર્ણ કરી છે, એસડીઆરએફ ના નિયમ મુજબ પ્રમાણે સહાય આપવામાં આવશે, પિયત જમીનમાં એક હેકટરે 13,500, બિન પિયત જમીનમાં 6000 સહાય આપવામાં આવશે. કુલ 700 કરોડ નું પેકેજ જાહેર, 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. પાક વીમા યોજના થી અલગ સહાય મળશે...


બાઈટ : જયેશ

બાઈટ : મનું ભાઈ

બાઈટ : તનય

બાઈટ : પ્રદીપ ભાઈ

ABOUT THE AUTHOR

...view details