ગુજરાત

gujarat

ચીનમાં કોરોના સંક્રમણની અસર હવે દેશના હીરા ઉદ્યોગ પર જોવા મળી

By

Published : Dec 23, 2022, 6:39 PM IST

ચીનમાં કોરોના સંક્રમણની (Covid 19 Impact) અસર હવે દેશના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી (surat diamond business affected due to corona) છે. સ્મોલ સાઈઝના હીરાની ડિમાન્ડ ચીનથી વધારે થતી હોય (demand of small size diamond from china) છે અને વેપાર માટે વેપારીઓની અવરજવર પણ દર મહિને થાય છે. કોરોનાની પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓ પોતાની બિઝનેસ મીટ પણ કેન્સલ કરી દીધા (diamond business affected due to corona) છે.

surat diamond business affected due to corona
surat diamond business affected due to corona

કોરોનાની અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી

સુરત:કોરોના સંક્રમણની (Covid 19 Impact) અસર હવે દેશના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી (diamond business affected due to corona) છે. ચીનમાં ફરી એક વખત કોરોનાએ તાંડવ મચાવ્યો છે ત્યારે ચીન સાથે જ્વેલરી અને હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતા વધી ગઈ છે. સ્મોલ સાઈઝના હીરાની ડિમાન્ડ ચીનથી વધારે થતી હોય (demand of small size diamond from china) છે અને વેપાર માટે વેપારીઓની અવરજવર પણ દર મહિને થાય છે. આવી પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓ પોતાની બિઝનેસ મીટ પણ કેન્સલ કરી દીધા (diamond business affected due to corona) છે.

આ પણ વાંચોCorona gujarat update: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ

હીરા ઉદ્યોગ પર અસર:વર્ષોથી ચીન અને ભારત વચ્ચે હીરાનો વ્યાપાર ચાલતો આવ્યો છે. કટ અને પોલિશડ ડાયમંડ એક્સપોર્ટ થાય (Export of Cut and Polished Diamonds from india) છે. લેબગ્રોન ડાયમંડમાં એચપીએચટી ડાયમંડ ચીનથી એક્સપોર્ટ કરવામાં આવતા હોય છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની વાત કરવામાં આવે તો વર્ષનો વેપાર 39 બિલિયન ડોલર છે. હીરા ઉદ્યોગોનો 35 ટકા વેપાર ચાઇના સાથે છે. હાલ જે રીતે કોરોનાની સ્થિતિ થઈ છે તેને લઈને સાઉથ ચાઇનાના લોકો પોતે પોતાનો દેશ છોડીને ભાગવા લાગ્યા છે. તેના ભયથી હવે સુરતના કેટલાક વેપારીઓએ ચાઇના જવાનું ટાળી રહ્યા છે અને ફ્લાઇટની ટિકિટ પણ કેન્સલ કરી રહ્યા છે.

એચપીએચટી ડાયમંડ ચીનથી ઈમ્પોર્ટ થાય છે:ચીન સાથે વેપાર કરનાર વેપારી નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને રીતે ભારતના ડાયમંડ ઉદ્યોગ સાથે ચીન જોડાયેલો છે. કટ એન્ડ પોલિશમાં જે નાના ડાયમંડ હોય છે. તેની ડિમાન્ડ ચીનમાં વધુ થતી હોય છે. જેથી વેપારીઓની અવરજવર ત્યાં રહેતી જ હોય છે. તે ઉપરાંત જે લેબગ્રોન ડાયમંડ છે. લેબગ્રોન ડાયમન્ડમાં પણ એચપીએચટી ડાયમંડ જે હોય છે તે ચીનથી ઈમ્પોર્ટ થાય છે. તે લેવા માટે પણ વેપારીઓને ચાઇના જવું પડતું હોય છે. થોડા દિવસ પહેલા આજે ક્વોરેન્ટાઇન નિયમોમાં છૂટછાટ આપતા ચાઇના હીરાના વેપારીઓ જવા પણ લાગ્યા હતા ને સ્થિતિ સામાન્ય થઈ હતી, પરંતુ હાલ કોરોના કહેશો વધતા સ્થિતિ ગંભીર થઈ છે.

આ પણ વાંચોકોરોના એલર્ટ : 27 ડિસેમ્બરે દેશભરમાં યોજાશે મોકડ્રીલ

વેપારીઓ જવાનું ટાળી રહ્યા છે:હાલમાં જ જાણવા મળ્યું છે કે સાઉથ ચીનના લોકો દેશ છોડીને જવા લાગ્યા છે. જેના કારણે હવે વેપારીઓ ચીન જવા માંગતા નથી. દર મહિને ઘણા વેપારીઓ ચીન જતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈ ઘણા વેપારીઓ જવાનું ટાળી રહ્યા છે. જે લોકોએ ટિકિટ ખરીદી હતી તે પણ પરત કરી રહ્યા છે. જો કે કોરોનાના કહેશો જ્યારથી શરૂ થયા છે ત્યારથી જ ચીનમાં લોકડાઉન ની પરિસ્થિતિ જ જોવા મળી રહી છે. જેથી ત્યાં તો નહીં પરંતુ ફરીથી જે સ્થિતિ અન્ય દેશોમાં સર્જાઈ હતી. તે પુનરાવર્તન થાય તો શક્ય છે કે વેપારીઓની સ્થિતિ વણસી જશે.

ABOUT THE AUTHOR

...view details