ગુજરાત

gujarat

Surat News : જીવનનો કોઈ ભરોસો નથી, રાજસ્થાનથી સુરત કાપડ લેવા આવેલા યુવકને ચાલુ બાઇકે આવ્યો હાર્ટ એટેક

By

Published : Apr 23, 2023, 2:54 PM IST

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. મૃતક યુવક રાજસ્થાનથી સુરત કાપડ લેવામાં માટે આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે મૃતક યુવકના હાર્ટ અટેક ને લઈ પોસ્ટમોટમ કરવામાં આવ્યું છે.

A young man sitting on the back of a running bike died of a heart attack in Surat
A young man sitting on the back of a running bike died of a heart attack in Surat

ઘટના સ્થળ ઉપર જ મોત

સુરત:વધુ એક વખત હાર્ટ અટેકની ઘટના સામે આવી છે. શહેરના ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજરોજ વેહલી સવારે જ 42 વર્ષીય કાનજીસિંગ પુરાણસિંગ રાજપુત જેઓ તેમના ભત્રીજા લક્ષ્મણસિંગ જોડે બાઈક ઉપર પાછળ બેસીને કોઈક કારણસર બહાર જઈ રહ્યા હતા, ત્યારે જ તેમને હાર્ટ એટેક આવતા ચાલુ ગાડી ઉપરથી નીજે પડી ગયા હતા. જે જોઈ સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા

છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા:મોત થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હાલ આ મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે બોડી પોસમોટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી છે. હાલ તો પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. આ બાબતે મૃતક કાનજીસિંગના ભત્રીજા લક્ષ્મણ રાજપૂતે જણાવ્યું કે, આજે સવારે કાકાને અચાનક છાતીમાં દુખાવો થતા તેમને હું હોસ્પિટલ લઈ જતો હતો.અને તેમને છાતીમાં દુખાવો રહેવાના કારણે મેં બાઈક પણ એકદમ ધીરે ધીરે હાંકી રહ્યો હતો.જોકે હોસ્પિટલ નજીક હોવાથી બાઈક ઉપર જ લઈને નીકળ્યો હતો. ત્યાંજ ખટોદરા જીઆઈડીસી પાસે જ તેઓ અચાનક જ ચાલુ બાઇકે નીચે પડી ગયા હતા જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.ત્યારબાદ તેઓ કશું બોલતા નઈ હતા.

છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા

છીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર

સુરતથી કાપડ લઈ જઈ રાજસ્થાન વેપાર કરતા હતા:વધુમાં જણાવ્યુંકે, સ્થાનિકો દ્વારા જ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી.અને બે કે ત્રણ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.અમે નવી સિવિલ હોસ્પિટલ લઈને ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.કાકાને કોઈ પ્રકારની ગંભીર પણ બીમારી ન હતી. તેઓ સુરત થી કાપડ લઈ જઈ રાજસ્થાન વેપાર કરતા હતા. તેમને એક છોકરી અને છોકરો એમ બે સંતાનો છે.કાકી પણ કાકા જોડે જ આ વેપારમાં સાથ આપી દુકાન ઉપર બેસતા હતા. ત્રણ દિવસ પહેલા જ સુરત આવ્યા હતા.

દ્વિશતાબ્દી મહોત્સવઃ મોહન ભાગવતે કહ્યું, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે

ઘટના સ્થળ ઉપર જ મોત:આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના સીએમઓ ફરજ પરના ડોક્ટરે પ્રિયંકાએ જણાવ્યુંકે, હા આજે સાવરે 7 વાગ્યેની આસપાસ 42 વર્ષીય
કાનજીસિંગ પુરાણસિંગ રાજપુત ને એમ્બ્યુલન્સ મારફતે લઈ આવામાં આવ્યો હતો. જોકે તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું હતું. તેમનું હાર્ટ એટેક આવતા મોત થયું હોય તેવું હોઈ શકે છે. પરંતુ હાલ મોતનું સાચું કારણ જાણવા માટે બોડીને રૂમમાં મોકલવામાં આવી છે. હાલતો પોસ્ટમોર્ટમ રિપોટ બહાર આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details