સુરત : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પાસે રાણી લક્ષ્મીબાઈના પ્રતિમાનું (Rani Lakshmibai unveiled in Surat) ઢોલ નગારા, ફુલહાર કરવામાં આવ્યું હતું. રાણી લક્ષ્મીબાઈના ફુલહાર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે લોકાર્પણ (CR Patil in Surat) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા રંગેચંગે સ્થાપના કરવામાં આવી
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરતમાં ગઈકાલે લિંબાયત વિધાનસભાના જ્યાં અનેક મહાનુભાવોની પ્રતિમા સ્થાપવામાં આવી છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને ગઈકાલે રંગેચંગે સ્થાપના કરવામાં આવી છે. લોકોના સાથ અને સહકારથી એમની લાગણી એમને અહીં પ્રદર્શિત કરવા માટે ઘણા સમયથી મહાનગરપાલિકા પાસેથી જગ્યાની માંગણી કરી હતી. આ જગ્યા પર આ પ્રતિમા સ્થાપવા માટે દરેકનો સહયોગ મળે એના માટે જે પ્રયત્નો હતો તે આજે સફળ થયો છે. સૌના સાથ અને સૌના સહકારથી આ પ્રતિમા સ્થાપવામાં આવી છે. હું લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલને અને સૌ કાર્યકર્તાઓને એમની સાથે જોડાયેલા સૌ આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું.