ગુજરાત

gujarat

Himmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત

By

Published : Apr 12, 2022, 9:26 AM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં રવિવારે રામનવમીના દિવસે શોભાયાત્રામાં પથ્થરમારો (Stone throwing at a procession in Himmatnagar) થયો હતો. ત્યારે આ મામલે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોની અટકાયત (Himmatnagar Communal Violence) કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરના રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

Himmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત
Himmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત

સાબરકાંઠાઃ હિંમતનગરમાં શોભાયાત્રમાં થયેલા પથ્થરમારા (Himmatnagar Communal Violence) મામલે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાનો મામલો પૂર્વનિયોજિત કાવતરું હોવાની (Stone throwing at a procession in Himmatnagar) શક્યતા છે. અત્યારે હિંમતનગરમાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તહેનાત છે.

39 લોકો સામે નામજોગ ફરિયાદ

આ પણ વાંચો-Communal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

39 લોકો સામે નામજોગ ફરિયાદ -ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આ મામલે વિવિધ ફરિયાદો નોંધવામાં (Himmatnagar Communal Violence) આવી છે, જેમાં 39 નામજોગ તેમ જ 700 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે. જોકે કાયદાનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવામાં આવશે. તેમ જ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો-Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ

ભડકાઉ પોસ્ટ કરનારા વ્યક્તિની અટકાયત -ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ (Gandhinagar Range IG Abhay Chudasama) જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા એક વ્યક્તિની અટકાયત થઈ છે. તેમ જ અન્ય એકની શોધખોળ ચાલુ છે. જોકે, કલમ 144ના ભંગની એક પણ ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી. આ સિવાય શાંતિ સમિતિની બેઠકમાં પણ આ મામલે રજૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં જે કોઈ અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમના ઉપર વધુ કલમો પણ ઉંમેરાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details