ગુજરાત

gujarat

પેરિસ ખાતે યોજાનારી 1200 KMની સાયકલ રેસમાં હિંમતનગરનો યુવાન લેશે ભાગ

By

Published : Mar 12, 2021, 5:33 PM IST

હિંમતનગર ના સાયકલિસ્ટ દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.હિંમતનગરના કાઠીયાવાડ ના વતની નીલ અરવિંદભાઈ પટેલે 600 કિલોમીટર ની રેસ 39 કલાક માં પૂર્ણ કરી પ્રસિદ્ધિ મેળવી છે જે આગામી સમયમાં પેરિસ ખાતે યોજાનાર સુપર રેડીયો નીયર નું ટાઈટલ મેળવવા 1200 કિલોમીટર સાઇકલિંગ માં ભાગ લઈ નું પ્રતિનિધિત્વ કરશે.

સાઈકલિંગ
સાઈકલિંગ

  • હિંમતનગરનો યુવાન પેરિસમાં સાયકલિંગમાં બનશે ભાગીદાર
  • તાજેતરમાં 600 કિલોમીટર mi સાયકલિંગ 39 કલાકમાં પૂરી
  • 1200 કિલોમીટર માટે કરે છે તૈયારી

હિંમતનગર: નીલ અરવિંદભાઈ બાળપણથી જ સાઈકલ નો શોખ ધરાવે છે તેમ જ હાલમાં જ ૬૦૦ કિલો મીટરની અલ્ટ્રા endurance ride નું ટાઇટલ પોતાના નામે કર્યું છે હાલમાં રોજના પાંચ કિલોમીટર સાઇકલિંગ કરે છે તેમજ સપ્તાહમાં એક વાર સો કિલોમીટર સુધી સાઈકલિંગ કરે છે જોકે તાજેતર માં નીલ અરવિંદભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈ ગાંધીનગર સુધી સાઈકલિંગ કરી 600 કિલોમીટર નું અંતર 39 કલાકમાં કાપી રાજ્ય કક્ષાએ મેડલ હાંસલ કર્યો છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પણ નીલ અરવિંદભાઈ પટેલ પ્રસિદ્ધિનું કારણ બન્યા છે જોકે તેની પાછળ સૌથી મહત્વનો બાદ તેમના પિતા અરવિંદભાઈ નું રહેલું છે તેમના પિતાનું માનવું છે કે ભગવાનની સૌથી મોટી દેન એ શરીર છે જો શરીર મજબૂત હોય તો પૈસા પાછળ દોડવાની જરૂરિયાત નથી પૈસા સામેથી આવશે અને શરીરને મજબૂત રાખવા માટે કસરત મહત્વનું પરિબળ છે ત્યારે કસરત માટે સાઇકલિંગ પાયાનું પરિબળ સાબિત થતું હોય છે જેના પગલે પિતાની પ્રેરણાની આધારે નીલ અરવિંદભાઈએ ભુજના પાંચ કિલોમીટર થી લઈ સપ્તાહમાં સો કિલોમીટર સુધી સાયકલિંગ ની શરૂઆત કર્યા પગલે આજે તેમની પ્રસિદ્ધિ પેરિસ સુધી પહોંચી છે. ત્યારે સાબરકાંઠાનું ગૌરવ આગામી સમયમાં પેરિસમાં યોજાનાર 1200 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં ભાગીદાર બનશે અને તેમના પિતાનું નામ હતું પેરિસમાં યોજાનારી આ સ્પર્ધામાં પણ તેમનો મેડલ નિશ્ચિત છે.

પેરિસ ખાતે યોજાનારી 1200 KMની સાયકલ રેસમાં હિંમતનગરનો યુવાન લેશે ભાગ

આ પણ વાંચો:મોરબીમાં 7થી 70 વર્ષના લોકો સાઇકલ રેલીમાં ઉમંગભેર જોડાયા

પિતાની પ્રેરણા બની આશા સમાન

જોકે સાયકલિંગથી શરીર મજબૂત બને એ તો મહત્વની બાબત છે જ પરંતુ માનવ શરીરની સાથોસાથ મૌન પણ મજબૂત બને તે જરૂરી છે અને નીલ અરવિંદભાઈએ આ બાબતને પાયામાં સ્વીકારી નિયમિત સાયકલિંગ ને પગલે પેરિસ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે તેમની શરૂઆતમાં પાંચ કિલોમીટર થી સાયકલિંગ ની શરૂઆત કરી હતી તેમની શરૂઆતમાં શારીરિક તકલીફ ને પગલે કસરત કરવાનું શરૂ કર્યું હતું જો કે નિયમિત કસરત કરવાના પગલે શારીરિક તકલીફો દુર થવાની સાથોસાથ શરીર મજબૂત બની અને તેમના પિતાની વાત સાર્થક થતી લાગતાં તેમને સાયકલિંગ ને પોતાના કેરિયર તરીકે સ્વીકારવામાં સફળતા મેળવી શક્યા જોકે આટલેથી ન અટકતા છેલ્લા કેટલાક સમયથી તેઓ નિયમિત પોતાની સાયકલિંગ યથાવત રાખતા હવે ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાતી થી પાટીદાર બનવાના છે

હિંમતનગરનો યુવાન પેરિસમાં સાયકલિંગમાં બનશે ભાગીદાર

2023 માં પેરિસ માં યોજાશે સ્પર્ધા

2023માં પેરિસ ખાતે યોજાનાર 1200 કિલોમીટર ની સાઇકલ સ્પર્ધા માટે ગુજરાત વતી તેમની પસંદગી થઈ છે જે આગામી સમયમાં પેરિસ ખાતે સફળતાપૂર્વક મેડલ જીતવાની આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, નિયમિતતાથી કરેલો પ્રયાસ સફળતા અપાવી જ છે તે ફરી એકવાર નીલ અરવિંદભાઈ એ સાબિત કરી છે ત્યારે આગામી સમયમાં સમગ્ર દેશ કક્ષાએ ગુજરાત સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન થાય તેમજ તેમનો પ્રયાસ સફળ બને તેવી હાલમાં સૌ કોઈ અભ્યર્થના કરી રહ્યું છે

તાજેતરમાં 600 કિલોમીટર mi સાયકલિંગ 39 કલાકમાં પૂરી

ABOUT THE AUTHOR

...view details