ગુજરાત

gujarat

Rajkot Suicide Case: પાણી પ્રશ્ને કારખાનેદારે કર્યો આપઘાત, સ્યુસાઈટ નોટમાં કમિટીના સભ્ય પર આરોપ

By

Published : Mar 29, 2023, 6:48 PM IST

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં પાણી પ્રશ્ને કારખાનેદારનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે સોસાયટીના કમિટી મેમ્બર સહિતના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવી છે. જે બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં પાણી પ્રશ્ને કારખાનેદારે કર્યો આપઘાત
રાજકોટમાં એપાર્ટમેન્ટમાં પાણી પ્રશ્ને કારખાનેદારે કર્યો આપઘાત

રાજકોટઃરાજકોટમાં ગોંડલ રોડ આવેલ આવકાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારે પોતાના એપાર્ટમેન્ટમાં પાણી મામલે આપઘાતમાં પ્રયાસ કર્યો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. જ્યારે કારખાનેદારે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સોસાયટીના કમિટી મેમ્બર સહિતના હોદ્દેદારો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે કારખાનેદારનું સારવાર દરમિયાન મોત થતા રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે સોસાયટીના કમિટી મેમ્બર સહિતના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હોદ્દેદારોનો ત્રાસ:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા આવકાર એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર એવા જીતેન્દ્ર લક્ષ્મણ સગપરિયા નામના આધેડે પોતાના કારખાનામાં આપઘાતનો પ્રયાસ ગત તારીખ 20 માર્ચના રોજ કર્યો હતો. જ્યારે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે હવે પોલીસને પ્રાથમિક તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે એપાર્ટમેન્ટના હોદ્દેદારો અને કમિટી મેમ્બર દ્વારા તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હવે ભક્તિનગર પોલીસે સોસાયટીના સભ્યો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

આ પણ વાંચો Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ

આક્ષેપ કરવામાં આવ્યા:મૃતક જીતેન્દ્ર સગપરિયા દ્વારા સ્યુસાઇડ નોટ લખવામાં આવી હતી. જેમાં તેમણે એપાર્ટમેન્ટના કમિટી મેમ્બર અને હોદેદારો પાણી મામલે માનસકિ ત્રાસ આપતા હોવાનું જણાવામાં આવ્યું છે. તેમજ મૃતક જીતેન્દ્ર સગપરિયા અહીં એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હોય તેમને વારંવાર આ લોકો દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની ધમકી અપવામાં આવી રહી હતી. તેમના ભાગનું પાણી બારોબાર ઢોળી નાખવામાં આવતું હતું. જેના કારણે જીતેન્દ્ર સગપરિયાને પૈસા આપીને જરૂરિયાત મુજબનું પાણી લેવું પડતું હતું.

આ પણ વાંચો Rajkot News: સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા

લોકોની પૂછપરછ:આ પ્રકારના ત્રાસના કારણે તેઓએ પોતાના ઢેબર રોડ પર આવેલા કારખામાં આપઘાત કરી લીધો હતો. જયારે આ મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો આ અંગે ભક્તિનગર પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલે હવે સોસાયટીના રહીશો તેમજ હોદેદારો સહિતના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details