ગુજરાત

gujarat

Rajkot news: જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું, 18 લાખના મુદામાલ સાથે ડ્રાઈવરની અટકાયત

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 7:27 AM IST

Updated : Dec 29, 2023, 8:08 AM IST

રાજકોટના ઉપલેટામાંથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 18 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Etv Bharat
Etv Bharat

ઉપલેટા પાસેથી જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ઉપલેટા-ધોરાજી વિસ્તારની અંદર જ્વલનશીલ પ્રવાહીનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે, જોકે સમયાંતરે પોલીસ દ્વારા કામચલાઉ કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવતો હોય છે. ત્યારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ઉપલેટા પાસેથી પોલીસે વોચ ગોઠવી એક ટેન્કરને અટકાવ્યું હતું, ચાલકની પુછપરછ કરતાં અને તપાસ કરતા આ ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હોવાનું જણાયું હતું. આ ટેન્કરમાં 10,000 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા ટેન્કર સહિત 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર ઝડપાયું: આ અંગે વધુ માહિતી આપતા તપાસ અધિકારી અને રાજકોટ રૂરલ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ભનુભાઈ મીયાત્રાએ જણાવ્યું હતું કે, એસ.ઓ.જી. તેમજ એલ.સી.બી. શાખાની ટીમ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી અને તેના આધારે ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઈવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ચાલકને ઝડપી લીધો હતો.

ટેન્કર ચાલક સાથે ખુલ્યું વ્યક્તિનું નામ: ચાલકની પ્રાથમિક પુરપરછ કરતાં અન્ય વ્યક્તિનું નામ ખુલતા બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા ટેન્કર ચાલકનું નામ કિશોર વિઠ્ઠલ લગધીરકા છે, જ્યારે લાલભાઈ આહીર નામના વ્યક્તિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ઉપલેટા પાસેથી ઝડપાયેલા આ ટેન્કરમાં 10,000 લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. આ ટેન્કર ક્યાં લઈ જવામાં આવતું, કોની માલિકીનું છે, ક્યાંથી આ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો, આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

  1. Rajkot Crime News: 31 ડિસેમ્બર પહેલા રાજકોટ એલસીબીનો સપાટો, 299 પેટી દારુ ઝડપ્યો
  2. ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો, કલેક્ટરને આપ્યું આવેદનપત્
Last Updated :Dec 29, 2023, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details