ગુજરાત

gujarat

Farmers worried in Saurashtra : સૌરાષ્ટ્રમાં વરસાદ ફરી ખેંચાતા જગતનો તાત ચિંતામાં, પાકને નુકસાનીની શક્યતા વ્યક્ત કરી

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 4:26 PM IST

રાજ્યમાં શરૂઆતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. ત્યારે ખેડૂતોની મબલખ પાક થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જો એક મહિનામાં વરસાદ નહિ આવે તો ખેડૂતોના પાકને નુકસાનીની શક્યતા જણાઈ રહી છે.

eaj
Rajkot

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો

રાજકોટ: અગાઉ ચોમાસાની શરૂઆતમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોને આ વર્ષે મબલખ પાક થવાની આશા હતી. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. એવામાં જો આગામી દિવસોમાં વરસાદ નહિ થાય તો ખેડૂતોને પાકમાં નુકશાની જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વરસાદ બાદ જે ચેકડેમ અને તળાવો ભરેલા હતા તે પણ વરસાદ ન આવવાના 50 ટકાથી વધુ ખાલી થઈ ગયા છે.

ક્યાં કેટલું પાકનું વાવેતર કરવામાં આવ્યું ?

  • રાજકોટ જિલ્લામાં વાવેલા પાકની વાત કરવામાં આવેલો ખેડતી વાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લાના 1 લાખ 62 હજાર 917 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
  • જેમાં ધોરાજી તાલુકામાં 19060, ગોંડલમાં 24992, જામકંડોરણામાં 11346, જસદણમાં 13489, જેતપુરમાં 21420, કોટડાસાંગાણીમાં 623, લોધિકામાં 2810, પડધરીમાં 13210, રાજકોટ તાલુકામાં 1334, ઉપલેટામાં 34670અને વિંછીયામાં 1963હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
    ખેડૂતોના પાકને નુકસાનીની શક્યતા
  • હાલ સુધી થયેલા વાવેતરમાં સૌથી વધુ 82253હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે, ત્યારબાદ 73524હેક્ટરમાં મગફળી, 2339હેકટરમાં શાકભાજી, 1424હેકટરમાં સોયાબીન, 91હેકટરમાં મગ, 71હેકટરમાં અડદ, 11હેકટરમાં તુવેર તેમજ 8 હેકટરમાં મકાઈ તથા 2196હેકટરમાં ઘાસચારાનું વાવેતર પણકરવામાં આવ્યું છે.

'ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રનો તેમાં સિંહફાળો છે. જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. જેના કારણે આ વિસ્તારમાં જે પણ વરસાદ પડે છે તેનો 80 ટકા પાણી દરિયામાં વહી જાય છે. પરંતુ રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેના કારણે પાક પણ સારો થયો છે પરંતુ છેલ્લા એકાદ મહિના કરતાં વધુ સમયથી વરસાદ ન થવાના કારણે પિયતના પાણી માટે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. - દિલીપ સાખિયા, ખેડૂત આગેવાન, રાજકોટ

પાક ઉત્પાદનનમાં નુકસાનીની શક્યતા: દિલીપ સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી અને કપાસના પાકનું વાવેતર થાય છે. કઠોળનું પણ ક્યાંક વાવેતર જોવા મળે છે. પરતું હાલ મગફળીનો પાક તૈયાર થવાની સીઝન છે અને કપાસના પાકમાં હાલ ફાલ આવવાની સીઝન છે. ત્યારે આવા સમયે જો પાકને પૂરતું પાણી ન મળે તો ઉત્પાદનમાં મોટી નુકશાની આવવાની શક્યતાઓ છે. હાલમાં પાકવીમો બંધ થઈ ગયો છે. સરકાર દ્વારા જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના ખેડૂતોને મદદ કરી શકે તે જ હાલ ખેડૂતો માટે આશાનું કિરણ છે.

પાણી છોડવા માંગ:રાજકોટના એક હજારથી વધુ નાના-મોટા ખેડૂતોએ પાક બચાવવા માટે તાત્કાલિક પાણી છોડવા માટે સિંચાઈ તંત્ર સમક્ષ માંગણી કરી છે. સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ જિલ્લાનાં અનેક ગામોમાંથી પાક માટે અને પીવા માટેનાં પાણીની અનેક અરજી/ રજૂઆતો આવી રહી છે.

ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું: રાજકોટ જિલ્લામાં આવેલ સિંચાઈ વિભાગ હેઠળનાં 27 ડેમોની આજની સ્થિતિ જોઈએ તો આજી, ભાદર, ન્યારી, વેણુ, મોજ ડેમોને બાદ કરતા જિલ્લાના અન્ય ડેમોમાં પાણીનું જળસ્તર સતત ઘટવા લાગ્યું છે. રાજકોટ જિલ્લાના ડોંડી, વાછપરી, વેરી, મોતીસર, ફાડદંગ બેટી, છાપરવાડી-1, કરમાળ, કર્ણુકી અને માલગઢ ડેમોમાં માત્ર 5થી 15 ફૂટ સુધીનું જ પાણી બચ્યું છે.

  1. Surat News: વરસાદ ખેંચાતા માંગરોળ તાલુકામાં સોયાબીનનો પાક નષ્ટ
  2. Banaskantha Rain News : બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, સિંચાઈના પાણીની માગ

ABOUT THE AUTHOR

...view details