ગુજરાત

gujarat

જસદણમાં લોકોને પરિવર્તન જોઈએ એટલે AAP જીતશે તે નક્કી છેઃ તેજસ ગાજીપરા

By

Published : Nov 28, 2022, 11:31 AM IST

રાજકોટમાં જસદણ બેઠક પર આમ આદમી પાર્ટીએ તેજસ ગાજીપરાને (AAP Candidate Tejas Gajipara) ટિકીટ આપી છે. ત્યારે આ ચૂંટણીમાં તેમની કેવા પ્રકારની (aap candidate tejas gajipara for jasdan) અને કામગીરી છે તે અંગે જોઈએ આ અહેવાલ.

જસદણમાં લોકોને પરિવર્તન જોઈએ એટલે AAP જીતશે તે નક્કી છેઃ તેજસ ગાજીપરા
જસદણમાં લોકોને પરિવર્તન જોઈએ એટલે AAP જીતશે તે નક્કી છેઃ તેજસ ગાજીપરા

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક (jasdan assembly constituency rajkot) ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. ભાજપે આ વખતે ફરી એક વખત કુંવરજી બાવળિયાને ટિકીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તેજસ ગાજીપરાને મેદાને (AAP Candidate Tejas Gajipara) ઉતાર્યા છે. તો આ ઉમેદવારની કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તેને લઈને જોઈએ આ વિશેષ અહેવાલ.

આપના ઉમેદવારની તૈયારી કેવી છે જોઈએ

જિલ્લામાં કુલ 8 વિધાનસભા છેઆમાં શહેરની 4 અને જિલ્લાની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લાની જસદણ વિધાનસભા કે, જેમાં જસદણ વિધાનસભામાં વાત કરીએ તો 105 જેટલા ગામોનો સમાવેશ થાય છે ત્યારે હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,56,289 મતદારો છે ત્યારે જસદણ વિધાનસભા (jasdan assembly constituency rajkot) માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે તેજસ ગાજીપરાને (AAP Candidate Tejas Gajipara) જાહેર કર્યા છે. ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું તેજસ (aap candidate tejas gajipara for jasdan) ગાજીપરાએ.

પ્રશ્નજસદણ વિધાનસભાની બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આપનું નામ જાહેર કર્યું છે. ત્યારે આ વિસ્તારના મતદારો અને પાર્ટી તરફનો શું મિજાજ છે?

જવાબમતદારોને અત્યારે પરિવર્તન જોઈએ છીએ. ત્યારે એક તક જોઈએ છે. જેના માટે મતદારો પણ થાન ગણી રહ્યા છે. કારણ કે, એક તારીખે ક્યારે આવે અને મતદારો મતદાન કરે તેવી વાતો કરે છે. અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર ગયા હોય ત્યાં આ વિસ્તારની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party Gujarat) વાત જાણી હોય તેવા લોકો પણ આજે મને મળવા આવી રહ્યા છે, જેમાં અગાઉ ઘણા લોકો મારી સાથે અને મારી પાર્ટી સાથે જોડાયા છે ત્યારે લોકો સતાધારી પક્ષથી અને વિપક્ષથી અત્યારે નારાજ છે એને એની પાસે કોઈ વિકલ્પ નતો ત્યારે વિકલ્પ સ્વરૂપે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે અને સાવરણાના બટનને દબાવવા માટે પેલી તારીખની રાહ જોઈ અને થનગની રહ્યા છે.

પ્રશ્નજસદણ વિધાનસભા વિસ્તારની અંદર લોકોની માગણીઓ શું છે માગણીઓની સાથે રજૂઆતો શું છે અને આ વિસ્તારની સમસ્યાઓ શું છે ત્યારે જ્યારે આપ જન સંપર્ક કરવા જતા હોય ત્યારે પણ લોકો પોતાની રજૂઆત કરે છે?

જવાબઆ વિસ્તારની અંદર ઘણા સમયથી પછાત વિસ્તાર છે, જેમાં આ વિસ્તારની અંદર લોકોની એક જ માગ છે કે, જેમાં લોકોને સિંચાઈ માટેનું પાણી મળે જ્યાં વિછીયા તાલુકાની વાત કરીએ તો, ત્યાં પાણીની બહુ જ અવ્યવસ્થા છે. ત્યાં ટેન્કર મગાવવા પડે છે અને રોડ-રસ્તામાં પણ એટલી કરાવી છે કે, તમારે 5 કિલોમીટર કાપવા હોય તો એ પણ વધારે સમય લાગે છે, જેથી એક ગામથી બીજા ગામ જોવા માટેની પણ અર્થવ્યવસ્થા વધારે ખરાબ છે. એટલે આ સરકારથી લોકો નારાજ છે અને આમ આદમી પાર્ટીથી (Aam Aadmi Party Gujarat) પ્રેરિત થઈ અને ખાસ કરીને પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.

પ્રશ્નલોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે એમનું કારણ શું હોઈ શકે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ છે પરંતુ આમ આદમી પાર્ટીને શું કરવા પસંદ કરે એનું કારણ શું હોઈ શકે?

જવાબઆમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જ્યારે દિલ્હીની અંદર સરકાર બનાવી હતી. ત્યારે જે વાયદાઓ આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે તે પછી જે છેલ્લા 7 મહિનાથી પંજાબની અંદર સરકાર બનાવી છે. તે પણ કામ થયા છે, જે આકલ્પનીય છે જે 70 વર્ષની સરકારે કામ નથી કર્યા તે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) કરી બતાવ્યા છે અને જે ગેરન્ટી આપી હતી. તે તમામ પૂર્ણ કરી છે તેમાં મફત વિજળી, મહિલાઓને સન્માન રાશિ સહિતની અનેક યોજનાઓ છે, આ બાબતે લોકો પણ જાણકાર થયા છે અને સોશિયલ તેમજ પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાણી ગયા છે. આમાં કોઈ વ્યક્તિ શિક્ષિત હોય અને તે દિલ્હી કે પંજાબની અંદર જ્યારે ફરવા જાય છે ત્યારે તેનું વાતાવરણ જોઈને એવું કહે છે કે આવનાર દિવસમાં આપ જોઈએ.

પ્રશ્નઆ વિસ્તાર પૂર્વ કેબિનેટ પ્રધાનનો વિસ્તાર છે. સામે કૉંગ્રેસમાંથી પણ લડાયક નેતા છે. ત્યારે આપની આ ત્રણ વચ્ચેની ટક્કર બાબતમાં મતદારોનો કેવો મિજાજ છે?

જવાબઅત્યારે એટલે કે અત્યાર સુધી અહીંયા 2 જ પક્ષ હતા. ત્યારે લોકોને ભાજપ ના ગમતી હોય તો કૉંગ્રેસને મત આપતા અને કૉંગ્રેસ ના ગમતી ત્યારે ભાજપને આપતા ત્યારે લોકો પાસે વિકલ્પ ન હતો. ત્યારે હાલ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) એક વિકલ્પ આવ્યો છે, જેને લોકો પસંદ કરે છે અને ખાસ કરીને યંગ જનરેશન લોકો એવું વિચારે છે કે, યંગ જનરેશનને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે લોકો અને ખાસ કરીને સમર્થકો પણ મને જોવા માટેની વાત કરતા કારણ કે ઉમેદવાર કોઈ ક્ષતિવાળો તો નથી ને તેમાં હું જ્યારે ગામની અંદર સભાઓ લેવા જતો ત્યારે લોકોની અંદર પણ ખુશીનું માહોલ જોવા મળતો હોય તો અને લોકો ઉમેદવારને જોઈને પણ ખુશ થતા હતા. કારણ કે, આ કોઈ ડબલ એન્જિન સરકાર નથી, જેમાં હાલ હું નવું એન્જિન છું કે, જુના એન્જિન વાપર્યા છે તે હવે નથી ચાલે એમ ત્યારે મને નવા એન્જિનિયર બેસાડીને જોઈ જુઓ કેટલા કામ થાય છે. કારણ કે, દિલ્હી અને પંજાબની અંદર જે કામ થયા છે. આ બાબતે ગુજરાતમાં રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ અને એ જ વિચારધારાથી અમારી સાથે લોકો જોડાયા છે અને લોકોમાં ખુશીનો માહોલ છે.

પ્રશ્નઆ વિસ્તારના મતદારો અને ખાસ કરીને જીતની લીડ બાબતે શું કહેશો?

જવાબઅત્યારના માહોલની વાત કરીએ તો, લોકો પરિવર્તન માટે દોડી રહ્યા છે. ખાસ કરીને મતદાન માટે ઉત્સાહ છે સમય ટૂંકો છે જે ગામની અંદર અમે નથી કે, તેમના લોકો પણ અમને મળવાની વાત કરે છે. ત્યારે આ વિસ્તારમાં આવતા દિવસોની અંદર 30થી 32 હજાર સુધીની લીડ મળે તેવી પણ પૂરેપૂરી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) તરફની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details