ગુજરાત

gujarat

Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો

By

Published : Jan 31, 2022, 8:42 PM IST

Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો: DCP
Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો: DCP

રાજકોટના માલધારી સમાજ સહિતના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર (Maldhari Samaj application form of Rajkot)પાઠવા માટે રેલી યોજાઈ હતી. જ્યારે રેલી દરમિયાન અનેક લોકો એકઠા થયા હતા અને સદર બજારમાં વિવિધ દુકાનોમાં તોડફોડ શરૂ કરી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે (Dhandhuka Murder Case)આવી હતી અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

રાજકોટઃધંધુકા ખાતે યુવાનની હત્યા મામલે રાજ્યમાં ઠેર ઠેર વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવી રહ્યું છે. તેમજ હત્યારાઓને કડક સજાની માંગ કરી રહ્યું છે. એવામાં આજે રાજકોટમાં પણ રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાનટોળું હિંસક બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ (Rajkot City Police)કરવામાં આવ્યો હતો.

હળવો લાઠીચાર્જ

રેલી દરમિયાન ટોળું હિંસક બન્યું

આજે રાજકોટના માલધારી સમાજ (Dhandhuka Murder Case)સહિતના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર (Maldhari Samaj application form of Rajkot)પાઠવા માટે રેલી યોજાઈ હતી. જ્યારે રેલી દરમિયાન અનેક લોકો એકઠા થયા હતા અને સદર બજારમાં વિવિધ દુકાનોમાં તોડફોડ શરૂ કરી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ( Police lathicharge the crowd)કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા થોડા સમય માટે વિસ્તારમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. હાલ સમગ્ર મામલો શાંત પડ્યોછે.

આ પણ વાંચોઃKishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો....

પોલીસ વેન પર પથ્થરમારો કરાયો

રાજકોટમાં રેલીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જે મામલે ડીસીપી ઝોન1 મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે રેલીમાં અનેક લોકો એકઠા હતા હતા અને સદર વિસ્તારમાં આ ટોળાને પોલીસ દ્વારા રોકવામાં આવતા પોલીસ વેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં ત્રણેક દુકાનોમાં તોડફોડ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટોળું હિંસક સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃDhandhuka Murder Case: કોંગ્રેસે ભાજપ પર કોમી એકતા ડહોળવાના કર્યા આક્ષેપ, યમલ વ્યાસે આપ્યો આ જવાબ...

ABOUT THE AUTHOR

...view details