ગુજરાત

gujarat

Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ

By

Published : Apr 13, 2023, 4:22 PM IST

ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને પોરબંદર રાજકોટ હાઈવે પરના 2 ટોલનાકા દુર કરવાની રજુઆત કરવામાં આવી છે. 180 કીમીના અંતરે 4 ટોલનાકા છે જેને લઈને શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરે ગડકરીને પત્ર લખીને 2 ટોલનાકા દૂર કરવાના માંગ કરી છે.

Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ
Porbandar News : રાજકોટ પોરબંદરના હાઇવે પરના 4 માંથી 2 ટોલનાકા રદ કરવાની માંગ

મ્યુનિસિપલ કાઉન્સીલરે ગડકરીને પત્ર લખ્યો, ટોલનાકા રદ કરવાનો

પોરબંદર : શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરે રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખીને પોરબંદરથી રાજકોટ સુધીના 4 ટોલનાકામાંથી 2 ટોલનાકા દૂર કરવા રજૂઆત કરી છે. પોરબંદર શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલર ફારૂક સુર્યાએ નીતિન ગડકરીને પત્ર લખીને જણાવ્યું છે કે, દેશની પ્રજાને વાહન વ્યવહાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તાઓ અને ટ્રાન્સપોટેશન ક્ષેત્રે દેશ પ્રગતિ સાથે વિકાસ કરી રહ્યો છે, ત્યારે પોરબંદરથી રાજકોટ જવા રવાના થતાની સાથે ટોલનાકા શરૂ થાય છે. જે 180 કી.મી. જેટલા પ્રવાસમાં 4 ટોલ નાકા આવે છે.

કેટલો ટેક્સ ચૂકવવો પડે : વધુમાં જણાવ્યું હતું કેે, નિયમ મુજબ પોરબંદરથી 80 કિમી બાદ પહેલો ટોલટેક્ષ હોવો જોઈએ અને બે ટોલનાકા વચ્ચેનું અંતર 80 કિમી કરતાં વધારે હોવું ન જોઈએ. તેના બદલે પોરબંદર રાહે૨ની હદ મુકતાની સાથે જ માત્ર 10 કિમીના અંતરે જ વનાણા ટોલનાકું આવે છે. ત્યારબાદ 3 ટોલનાકા ખાતે વાહન ચાલકોએ ટેક્સ ચૂકવવો પડે છે. પોરબંદરથી રાજકોટ પહોંચતા સુધીમાં જ ચાલકોએ 330 રૂપિયા જેટલી જંગી ટેક્સ ચૂકવવો પડે છે.

આ પણ વાંચો :Dehradun news: દેહરાદૂન લછીવાલા ટોલ પ્લાઝા પર અચાનક દેખાયા 'ગજરાજ', હાઈવે પર અંધાધૂંધી

શહેરથી બહાર નીકળતા મજબુર : સમગ્ર ગુજરાત રાજ્યમાં અને કદાચ સમગ્ર દેશમાં કોઈ એવા શહેર કે હાઇવે નહીં હોય કે જયાંથી નીકળતા 180 કીમીના અંતરે ચાર - ચાર ટોલ નાકા આવતા હોય. માત્ર ગાંધીજી અને સુદામાની નગરી સાથે જ આ અન્યાય થઈ રહ્યો છે, ત્યારે 4 ટોલ નાકામાંથી તાત્કાલિક અસરથી 2 ટોલનાકા દુર કરવા જોઈએ. પોરબંદરથી બહાર નીકળતી ત્રણે દિશાઓમાં તરત જ ટોલ નાકા આવી ગયા હોય. શહેરની બહાર નીકળતા તરત જ ટેક્સ આપવા મજબૂર થવું પડે છે.

આ પણ વાંચો :Vadodara News : યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી, ટોલનાકાના કર્મચારીને માર માર્યો

ક્યાં ક્યાં ટોલનાકા: પોરબંદર શહેરની બહાર જવા માટેની ત્રણેય દિશામાં વનાણા તરફ, પોરબંદરથી કુછડી તરફ અને પોરબંદરથી માધવપુર તરફ શહેરની બહાર નીકળતા જ ટોલનાકા આવેલા છે. જે પોરબંદરના સ્થાનિક લોકો માટે ખુબ જ પીડાદાયક છે. આર્થિક રીતે પોરબંદરના લોકોની કમ્મર તોડી નાખી છે તેમ નગરપાલિકાના કાઉન્સિલર ફારૂક સુર્યાએ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details