ગુજરાત

gujarat

પાટણ રેલ્વે સ્ટેશન પર WIFI અને AC આરામ રુમની સુવિધા કાર્યરત કરાઈ

By

Published : Sep 10, 2019, 4:41 AM IST

પાટણઃ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ પાટણ લોકસભા સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને લઇ પાટણ વાસીઓ અને મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

પાટણ

મોદી સરકારની 100 દિવસની સિદ્ધિ પ્રોગ્રામ અંતર્ગત ભારતીય રેલવે દ્વારા પણ 100 દિવસ દરમિયાન થયેલા કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે. ત્યારે પાટણ ખાતે પાટણ લોકસભા મતક્ષેત્રના 8 રેલવે સ્ટેશન પર વાયફાઈ સુવિધાને પાટણ સાંસદ ભરતસિંહ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં પાટણ, ખલીપુર, કાંસા, વાયડ, શિહી, કામલી અને ધારેવાડા રેલવે સ્ટેશન પર આ સુવિધા પેસેન્જરને મળશે. આ સાથે રેલવે સ્ટેશન પર ક્લીન વાતાવરણ બની રહે તે માટે સુંદર બગીચો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં સાંસદ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

પાટણ રેલ્વે સ્ટેશન પર WIFI અને AC આરામ રુમની સુવિધા કાર્યરત કરાઈ

આગામી સમયમાં પાટણ રેલવે સ્ટેશન પર મુસાફરોને AC આરામ રૂમ તથા આધુનિક બુકિંગ સુવિધાઓ સાથે વધુ આધુનિક બનાવાશે. જેમાં આકર્ષક ગેટ પણ બનાવાશે તેમ રેલ્વે ડિવિઝનલ મેનેજર દીપક ઝાએ જણાવ્યું હતું. આમ પાટણની જનતાએ વર્ષોથી જોયેલું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. પાટણનો વિકાસ પણ રેલવે સુવિધા વધતા ઝડપી બનશે સાથે સાથે રાણીની વાવ જોવા આવતા પ્રવાસીઓ પણ વધશે જેથી પ્રવાસન ક્ષેત્ર પાટણ વિકસશે તેમાં બે મત નથી.

પાટણની લાઈફ લાઇન ગણાતી કાંસા ભિલડીં રેલવે લાઇન પર આગામી દિવસોમાં મહત્તમ ટ્રેનો દોડતી થશે તેમજ પાટણના રેલ્વે સ્ટેશનને પર ખાસ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તેવો અનુરોધ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details