ગુજરાત

gujarat

પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવાયા

By

Published : Jan 15, 2020, 9:29 PM IST

117 bird had been rescued in patan
પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવ્યા

પાટણઃ શહેર સહિત ઉત્તરાયણના બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને જિલ્લા વન સંરક્ષણ કચેરી ખાતે કાર્યરત પક્ષી રેસ્ક્યુ સેન્ટર ખાતે પક્ષી તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી.

ઉતરાયણ પર્વમાં લોકો પતંગની મજા માણતા હોય છે, પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. ત્યારે સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પર એક એક તથા પાટણ શહેરમાં 5 એમ કુલ મળીને 14 પક્ષી કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા.

પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવ્યા

જિલ્લા વન સંરક્ષકની કચેરી ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા કબૂતર, પોપટ, સમડી, તેતર સહિતના 117 ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. દોરાથી ગંભીર રીતે ઘાયલ થયેલા 7 પક્ષીઓ મોતને ભેટ્યા હતા.

પાટણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓને બચાવ્યા

ગત વર્ષે 264 પક્ષીઓ ઘાયલ થયા હતા. જ્યારે આ વર્ષે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને કારણે લોકોમાં આવેલી જાગૃતિને લીધે આછા પક્ષીઓ ઘાયલ હતા.

Intro:પાટણ શહેર સહિત ઉત્તરાયણ ના બે દિવસ મા પતંગ ના દોરાથી ઘાયલ થયેલા 117 પક્ષીઓ ને જિલ્લા વન સંરક્ષણ કચેરી ખાતે કાર્યરત કરેલા પક્ષી રેસ્ક્યુ સેન્ટર ખાતે નિષણત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી.


Body:ઉત્તરાયણ પર્વમાં લોકો પતંગ ની મજા માણતા હોય છે પણ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે.ત્યારે સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા ના નવ તાલુકા મથકો પર એક એક તથા પાટણ શહેરમાં પાંચ મળી કુલ 14 પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા.તેમજ જિલ્લા વન સંરક્ષક ની કચેરી ખાતે પક્ષી રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ હતું.જેમાં બે દિવસ મા પતંગ ના દોરાથી ઘાયલ થયેલા કબૂતર પોપટ, સમડી, તેતર સહિત ના 117 ઘાયલ પક્ષી ઓ ને સારવાર આપવામાં આવી હતી.તો ઘાતક દોરાથી ઘાયલ થયેલા સાત જેટલા પક્ષીઓ ના મોત થયા હતા.

બાઈટ 1 જે જે રાજપૂત નાયબ વન સંરક્ષક પાટણ


Conclusion:ગત વર્ષે 264 પક્ષીઓ ઘાયલ થયા હતા જ્યારે આ વર્ષે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલ અભિયાન ને કારણે લોકો મા આવેલ જાગૃતિ ને લીધે પક્ષીઓ ઘાયલ થવાના બનાવો ઓછા બન્યા હતા.

બાઈટ 2 સુનિલ પ્રજાપતિ વેટરનરી ડોકટર

ABOUT THE AUTHOR

...view details