ગુજરાત

gujarat

'જય માં કાલી' ના નાદ સાથે પાવાગઢ પહોંચ્યા હજારો ભક્તો

By

Published : Sep 26, 2022, 6:08 PM IST

Updated : Sep 26, 2022, 7:58 PM IST

'જય માં કાલી' ના નાદ સાથે પાવાગઢ પોહચ્યા હજારો ભક્તો
'જય માં કાલી' ના નાદ સાથે પાવાગઢ પોહચ્યા હજારો ભક્તો ()

પ્રથમ નોરતે માં મહાકાળી(pavagdh maa kali temple ) ના દર્શન કરવા માટે શક્તિપીઠ પાવાગઢમાં વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાજ માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. (Thousands of devotees reached Pavagadh)મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને રાજ્યભરમાંથી પ્રથમ નોરતે માં મહાકાળીના દર્શન માટે પદયાત્રીઓ અને ભક્તો ગત રાત્રેજ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈને ભક્તોની સુવિધા ધ્યાનમાં રાખી રોપ વે સેવા પણ સવારે 4 વાગે શુરું કરી દેવામા આવી છે.

પાવાગઢ: શક્તિ ની ઉપાસના અને ભક્તિ ના મહાપર્વ આસો નવરાત્રી નો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે. લાખો ભક્તો ની આસ્થા ના કેન્દ્ર પંચમહાલ જિલ્લા માં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ કર્યુ હતુ. મંદિરના નવીનીકરણ કર્યા બાદની આ પ્રથમ નોરતું છે. (pavagdh maa kali temple ) આથી ખૂબ મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યુ છે.(Thousands of devotees reached Pavagadh) સોમવારે વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાજ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઊઠ્યું હતું, તેમજ માતાજીનો ભક્ત પ્રસાદ વિના ન રહી જાય અને દરેક ભક્તોને પ્રસાદ મળે એવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવી છે.

'જય માં કાલી' ના નાદ સાથે પાવાગઢ પહોંચ્યા હજારો ભક્તો
મહાકાળી ના દર્શને આવી રહ્યા છે: કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળી ના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી હશે, જયારે તેઓ તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજી ના દર્શન કરી શકશે. એમાંય પાવાગઢ ના નવીનીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ધ્વજારોહણ કરી પાવાગઢ ની તમામ સુવિધાઓ નું લોકાર્પણ કર્યું છે, ત્યાર થી અહીં ખૂબ જ મોટી સંખ્યા માં ભક્તો પાવાગઢ ખાતે માં મહાકાળી ના દર્શને આવી રહ્યા છે. જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી,સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રિ દરમિયાન નિજ મંદિર વહેલું ખુલ્લું મુકવા,સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું છે.

50 જેટલી બસ તળેટી થી માચી સુધી મુકવામાં આવી છે:ભક્તોની ભારે ભીડના પગલે રોપવે કંપની દવારા સવારે 4 વાગ્યાથી રોપવે સેવા ચાલુ કરી દેવામાં આવી છે. જયારે રોપવે ટીકીટ બારી પાસે પણ બહુ મોટી લાઈનો જોવા મળી રહી હતી. વધુ માં ખાનગી વાહનો ને પાવાગઢ તળેટી એ જ અટકાવી દેવામાં આવે છે, જેને લઈ એસ ટી વિભાગ દવારા 50 જેટલી બસો તળેટી થી માચી સુધી મુકવામાં આવી છે. જયારે આવતી કાલે મંદિર ના ચાચર ચોક માં ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ગરબા ની રમઝટ બોલાવશે. આજે બપોર સુધી 2 લાખ થી વધુ ભક્તો એ દર્શન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

Last Updated :Sep 26, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details