ગુજરાત

gujarat

Swasthya Chintan Shibir at Kevadia : ટેન્ટ સિટી 2માં કેન્દ્રીય આરોગ્યપ્રધાને શરુ કરાવી એ શિબિરમાં શેની ચર્ચા છે જાણો

By

Published : May 5, 2022, 6:22 PM IST

Swasthya Chintan Shibir at Kevadia : ટેન્ટ સિટી 2માં કેન્દ્રીય આરોગ્યપ્રધાને શરુ કરાવી એ શિબિરમાં શેની ચર્ચા છે જાણો

આપણે ક્યારેય ટોકનમાં નથી વિચારવાનું ટોટલમાં વિચારવાનું છે. દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશ ક્યાં હશે, આરોગ્ય ક્ષેત્ર કેવું હશે, આપણે શું બદલવાનું છે? આ પ્રકારના પ્રારંભિક પ્રવચન સાથે કેવડિયામાં 14મી આરોગ્ય ચિંતન શિબિર (Swasthya Chintan Shibir at Kevadia) શરુ થઇ ગઇ છે. જ્યાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ (Union Health Minister Mansukh Mandvia)આમ જણાવ્યું હતું.

નર્મદા -એકતાનગર કેવડિયામાં ત્રણ દિવસની આરોગ્ય વિભાગની કોન્ફરન્સનો (14th Conference of Central Council of Health & Family Welfare )આજથી શુભારંભ થયો છે. આ કોન્ફરન્સમાં (Swasthya Chintan Shibir at Kevadia ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલીપેડથી સીધા ટેન્ટ સિટી 2માં પહોંચ્યાં હતાં. આ ટેન્ટ સિટી ખાતે ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ(Union Health Minister Mansukh Mandvia) જણાવ્યું હતું કે દેશમાં કોવીડ મેનેજમેન્ટ અને વેક્સીનેશન જે રીતે થયું છે તેનો અન્ય દેશો અભ્યાસ કરી રહ્યા છે.આપણે ક્યારેય ટોકનમાં નથી વિચારવાનું ટોટલમાં વિચારવાનું છે. દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશ ક્યાં હશે, આરોગ્ય ક્ષેત્ર કેવું હશે, આપણે શું બદલવાનું છે? તે બધાં રાજ્યોએ ભેગા મળી નક્કી કરવાનું છે.

દેશમાં કોવીડ મેનેજમેન્ટ અને વેક્સીનેશન જે રીતે થયું છે તેનો અન્ય દેશો અભ્યાસ કરી રહ્યા છે

અન્ય દેશો અહી આવીને તેનાં પર અભ્યાસ કરી રહ્યા છે- માંડવીયાએ (Union Health Minister Mansukh Mandvia)વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં દેશમાં કોરોના ન ફેલાય તે માટે પીએમ મોદીએ રાજ્યોનાં સીએમ સાથે મિટિંગ કરી હતી. અમે નિયમિત રીતે સાપ્તાહિક રિપોર્ટ રાજ્યો પાસેથી મેળવીએ છીએ. અમે જીનોમ સિકવન્સિંગ પર ભાર આપી રહ્યા છીએ. તેનાથી દેશનાં કયા ખૂણામાં કયો વેરિયન્ટ એક્ટિવ છે તેનો ખ્યાલ આવે છે અને તેને કંટ્રોલ કરીએ છીએ.

આપણે ક્યારેય ટોકનમાં નથી વિચારવાનું ટોટલમાં વિચારવાનું છે

આ પણ વાંચોઃ Swashtya Chintan Shibir in Kevadia : દેશની મહત્ત્વની કઇ બાબત વિશે તમામ રાજ્યના આરોગ્યપ્રધાનો રોડમેપ બનાવશે?

બાળકોના વેક્સીનેશનને મંજૂરી- બાળકોના રસીકરણ (Swasthya Chintan Shibir at Kevadia ) અંગે તેમણે (Union Health Minister Mansukh Mandvia)જણાવ્યું કે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન-એન્ટાગી નામનું એક્સપર્ટ ગ્રુપ આના પર જે સૂચન આપશે તેનાં થકી આગળ વધીશું. વૈજ્ઞાનિકોનાં સુચનનાં આધારે આગળ વધીશું. પ્રથમ અને બીજો ડોઝ સરકારે લોકોને મફતમાં આપ્યો અને 60 વર્ષથી ઉપરનાને પણ મફત ડોઝ આપ્યો છે. સીરમ અને ભારત બાયોટેકની વેકસીનને ઇમરજન્સી યુઝ માટે પરવાનગી આપી છે. તેનો લોકો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી રહ્યા છે.

કોરોના ન ફેલાય તેને લઇને સતર્કતા- અન્ય દેશોમાં અત્યારે કેસો વધ્યા છે, ઘણી જગ્યાએ લોકડાઉન છે. પણ હાલમાં ભારતમાં કોરોના નિયંત્રણમાં છે. ભવિષ્યમાં પણ કોરોના ન ફેલાય તે માટે રાજ્યો સાથે સંપર્કમાં રહીને વૈજ્ઞાનિક રીતે માઇક્રો મેનેજમેન્ટ કરીને (Union Health Minister Mansukh Mandvia) તેને રોકીશું.

ABOUT THE AUTHOR

...view details