Swashtya Chintan Shibir in Kevadia : દેશની મહત્ત્વની કઇ બાબત વિશે તમામ રાજ્યના આરોગ્યપ્રધાનો રોડમેપ બનાવશે?

author img

By

Published : May 4, 2022, 2:40 PM IST

Swashtya Chintan Shibir in Kevadia : દેશની મહત્ત્વની કઇ બાબત વિશે તમામ રાજ્યના આરોગ્યપ્રધાનો રોડમેપ બનાવશે?

કેવડિયામાં દેશની 14મી સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું (Swashtya Chintan Shibir in Kevadia) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને લઇને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) વિગતો આપતાં શું જણાવ્યું તે વાંચો આ અહેવાલમાં.

ગાંધીનગર : ભારત દેશની આરોગ્યની સિસ્ટમમાં સુધારો વધારો કરવો અને આવનારા દિવસોમાં કયા પ્રકારનું નવીનીકરણ થઈ શકે તે માટે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ ગુજરાતના કેવડિયા ખાતે 14મી સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું (Swashtya Chintan Shibir in Kevadia )આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)વિગતો આપતાં જણાવ્યું હતું કે પાંચથી સાતમે સુધી કેવડિયા કોલોની દેશના તમામ રાજ્યોના આરોગ્યપ્રધાન ( Planning of 14th Health Contemplation Camp of the country) બેઠકમાં હાજર રહેશે.

ગુજરાતના કેવડિયા ખાતે 14મી સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું શું છે મુખ્ય ધ્યેય - ત્રણ દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના (Swashtya Chintan Shibir in Kevadia) ઉદ્દેશની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જણાવ્યું હતું કે ત્રણ દિવસીય શિબિર ઉદ્દેશ તબીબી અને જાહેર આરોગ્યક્ષેત્રને લગતી નીતિઓ અને કાર્યક્રમોના અમલીકરણ માટેના માર્ગ અને માધ્યમો તેમજ સામાન્ય લોકોને લાભ મળી રહે તે બાબતનો મહત્વનો ઉદ્દેશ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં તમામ નાગરિકોને મા વાત્સલ્ય કાર્ડ અને પીએમ જય કાર્ડ પ્રાપ્ત થાય અને લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે બાબતનો પણ હેતુ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ PMJAY Card : રાજ્યમાં 7 દિવસમાં 40 લાખ લોકોને અપાશે PMJAY કાર્ડ: ઋષિકેશ પટેલ

આરોગ્ય વિભાગની કામગીરી બાબતે ચર્ચા - ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આરોગ્યક્ષેત્રે થયેલી કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. જ્યારે આરોગ્ય સેવામાં જે તે રાજ્યમાં થયેલી કામગીરીની પણ સમય સાથે સાથે જ સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં (Swashtya Chintan Shibir in Kevadia) આયુર્વેદ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત દેશ અને દુનિયાને આયુર્વેદથી અવગત કરાવવા માટેના અનેક પ્રયાસો કર્યા છે અને ભારતમાં મળતી તંદુરસ્તીને લગતી સેવાઓનો લાભ અન્ય દેશના લોકો જાણે અને તેનો લાભ લે તે બાબતની પણ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Health Forest: અમદાવાદ બનશે હરિયાળું કેવડિયા જેવું આરોગ્ય વન હવે અમદાવાદમાં બનશે

સ્વાસ્થ્યનો રોડમેપ થશે તૈયાર - 5 થી 7 મે દરમિયાન યોજાનારી સ્વાસ્થ્ય ચિંતન શિબિરની (Swashtya Chintan Shibir in Kevadia) વાત કરવામાં આવે તો આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત વક્તાઓ અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય, નીતિ આયોગ, ઉદ્યોગ મંચ static એકેડેમી વગેરેના નિષ્ણાતો સાથે પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. સાથે જ હિતધારકો ઇન્ટરનેટથી ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજાશે. જ્યારે નીતિઓ અને કાર્યક્રમોના સમય અમલીકરણ માટે સહભાગી અભિગમ વિકસાવવા માટે હિસ્સેદારો સાથે પ્રતિક્રિયાને મંજૂરી આપવા માટેના સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે બધા માટે વસ્તુ સુલભ અને સમાન સ્વાસ્થ્ય માટેનો રોડ મેપ બનાવવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં સ્વાસ્થ્ય માટે ભારતને તૈયાર કરવા હિલ ઇન ઇન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા (Heal in India Heal By India ) સાથેનો સ્વસ્થ ભારત (Swashth Bharat Roadmap )માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ પદ્ધતિઓની પણ અને સ્વસ્થ રાજ્ય સ્વસ્થ રાષ્ટ્રના સૂત્ર સાથે કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકાર સાથે સહકાર અને સંકલન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.