ગુજરાત

gujarat

કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ ખોલે છે: મનસુખ વસાવા

By

Published : Jun 2, 2022, 6:59 PM IST

કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ ખોલે છે: મનસુખ વસાવા

નરેન્દ્ર મોદીના શાસનના 8 વર્ષ પૂર્ણ થયા છે. આ બાબતને લઈને નર્મદામાં ખોડિયાર કાઠિયાવાળી ધાબા ખાતે મનસુખ વસાવાએ એક કાર્યક્રમનું(Narmada Khodiyar Kathiawali Dhaba)આયોજન કર્યું હતું. જેમાં 8 વર્ષ દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી યોજનાઓની વાત કરી હતી. જેમાં રાજ્યમાં કથાળતા શિક્ષણને લઈને જણાવ્યું કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ શૈક્ષણિક સંસ્થાઓ ખોલે છે જે ન થવું જોઈએ.

નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 8 વર્ષ પૂર્ણ થયા જે બાબતને લઈને (Narmada Khodiyar Kathiawali Dhaba)નર્મદા જિલ્લામાં ખોડિયાર કાઠિયાવાળી ધાબા ખાતે સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં 8 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી યોજનાઓની વાત કરી હતી. અને તમામ સમાજને દયનમાં રાખી વિકાસ કર્યો હોવાની વાત કરી હતી.

મનસુખ વસાવા

આ પણ વાંચોઃUnderground sewer line : નર્મદામાં સૌપ્રથમ ભૂગર્ભ ગટર લાઈન રાજપીપળા, આ રીતે અપાશે સુવિધા

શિક્ષણનું સ્તર સુધારવા બધાએ આગળ આવવું -સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava)રાજ્યમાં કથાળતા શિક્ષણને લઈને(Education system in Gujarat)જણાવ્યું હતું કે રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે. શિક્ષકો છે, છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી. જેમાં માત્ર સરકારને જવાબદાર નથી, પરંતુ સ્કૂલો શિક્ષકો, વાલીઓ અને સમાજ પણ જવાબદર છે. શિક્ષણનું સ્તર સુધારવા બધાએ આગળ આવવું પડશે.

આ પણ વાંચોઃTwo killed in Bharuch: નર્મદા નદીમાં ગેરકાયદે ખનનથી નિર્દોષ લોકો આવી ઘટનાનો ભોગ બન્યાં, સાંસદનું નિવેદન

ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જાય -પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન રાજ્યમાં શિક્ષણને લઈને ખૂબ ચિંતિત હોવાની વાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જાય છે, પરંતુ ખરાબ ગુજરાત કરતા વધુ ખરાબ શિક્ષણ વિદેશનું છે. જેમાં દેશ જેનું નામ લીધા વિના જે દેશમાં આપણા વિદ્યાર્થીઓ ભણવા જાય છે જે પણ રોકવું જોઈએ. ખાસ એમ પણ વાત કરી કે કેટલિક શૈક્ષણિક સંસ્થાઓ અંદરો અંદર લડવામાંથી ઉંચી નથી. જેને કારણે શિક્ષણ બગડી રહ્યું છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેવા માટે જ શૈક્ષણિક સંસ્થાઓ ખોલે છે જે ન થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details