ગુજરાત

gujarat

Ram Mandir: ધન ઘડી ધન ભાગ મારા કે મારા રામે મને યાદ કરી, મોરબીના વૃદ્ધાને મળ્યું આમંત્રણ

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 2:02 PM IST

Updated : Jan 13, 2024, 10:09 AM IST

અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા સમગ્ર દેશમાં મહાનુભાવોને આમંત્રણ અપાઈ રહ્યું છે. જેમાં મોરબીમાંથી માત્ર 2 વ્યક્તિઓને જ રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. જેમાં 1 વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જેમણે પોતાની મરણ મૂડી રામ મંદિરમાં દાન કરી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ayoddhya Ram Mandir 22 January Morbi 2 People Invited Old Lady Donated Rs 27 Lakh

ધન ઘડી ઘન ભાગ મારા કે મારા રામે મને યાદ કરી
ધન ઘડી ઘન ભાગ મારા કે મારા રામે મને યાદ કરી

મોરબીના વૃદ્ધાને મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ

મોરબીઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનવા સમગ્ર દેશના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. જેમાં મોરબીમાંથી માત્ર 2 લોકોને આમંત્રણ મળ્યા છે. જેમાં એક છે RSS પશ્ચિમ ક્ષેત્રના સરસંધ સંચાલક ડો.જયંતી ભાડેશીયા અને બીજા છે નિવૃત્ત જીવન ગુજારતા ભાનુબેન સોલંકી. ભાનુબેને સરકારી નોકરી પરથી રિટાયર્ડ થયા ત્યારે મળેલ ગ્રેજ્યુઈટી, બીજી સહાયના નાણાં તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવેલ કુલ રુપિયા 27 લાખ રુપિયા અયોધ્યામાં દાન કરી દીધા હતા.

10 વર્ષ અગાઉ દાનઃ મોરબીના 82 વર્ષીય ભાનુબેન સોલંકી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપીને નિવૃત થયા છે. તેમજ તેના બહેન જે હાલ હયાત નથી તેઓ શિક્ષિકા હતા. બંને બહેનોએ પોતાની સેવા નિવૃત્તિ બાદ મળેલ તમામ રકમ ઉપરાંત પરિવારના સભ્યોએ આપેલ સહયોગ એમ કુલ મળીને 27 લાખ રુપિયા રામ મંદિર નિર્માણ માટે દાન કર્યા હતા. 10 વર્ષ અગાઉ તેણીએ અયોધ્યાની મુલાકાત લીધી ત્યારે તંબુમાં બિરાજમાન ભગવાન રામને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેથી તેમણે પોતાની મરણમૂડીને દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો. જેના ફળ સ્વરુપે તેમણે રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આમંત્રણ મળ્યું તે 'ધન્ય' ઘડી: જ્યારે ભાનુબેનના ઘરે આમંત્રણ પહોંચ્યું ત્યારે તેમણે કલ્પના પણ નહતી કે તેમને આમંત્રણ મળશે. તેઓ હર્ષથી ભાવવિભોર બની ગયા હતા. આરએસએસના આગેવાનોએ તેમણે આમંત્રણ આપ્યું ત્યારે તેમનું ઘર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ભાનુબેન સોલંકી આ આમંત્રણ મળવાથી જ પોતાને સૌભાગ્યશાળી માને છે અને આ ઘડીને ધન્ય ઘડી ગણાવે છે.

મને રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું તે મારા માટે ધન્ય ઘડી છે. મેં 10 વર્ષ અગાઉ પ્રભુ શ્રી રામને તંબુમાં બિરાજમાન જોયા અને મારુ હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેથી મેં મારી પાસે હતા તેટલા રુપિયા દાન કરી દીધા હતા...ભાનુ સોલંકી(રામ ભકત, મોરબી)

  1. Vadodara News : વડોદરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર ઉપડ્યાં યુવાનો, જાણો સમગ્ર કાર્યક્રમ
  2. Jamnaagr News: ધારાસભ્ય રિવાબા જાડેજાએ શરુ કર્યુ 'જન સેવા કેન્દ્ર', વિશ્વકર્મા સ્વાવલંબન કેમ્પ પણ યોજાયો
Last Updated :Jan 13, 2024, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details