ગુજરાત

gujarat

વિસનગરમાં સોશિયલ ડિસ્ટનસના ભંગ બાદ 5 દિવસ APMC બંધ રાખવાનો નિર્ણય લેવાયો

By

Published : Apr 14, 2020, 3:36 PM IST

વિસનગર APMCમાં સરકારના આદેશ અને વાઈરસની ગંભીરતા સમજાતી જ ન હોય તેમ છેલ્લા કેટલાક દિવસોમાં વિસનગર APMCમાં વેપારી આગેવાનો અને સત્તાધીશોની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સર્જાય હતા. જેથી સ્થાનિક તંત્ર દ્વારા 5 દિવસ માટે APMC બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

APMC
APMC

વિસનગરઃ APMCમાં સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડ્યા બાદ આગામી 5 દિવસ APMC બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટનાની જાણ થતાં તંત્ર લોકહિતને ધ્યાનમાં રાખીને 20 એપ્રિલ સુધી APMC બંધ રાખવા જણાવ્યું છે.

સોસીયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડ્યા બાદ આગામી 5 દિવસ APMC બંધ રાખવાનો નિર્ણય લેવાયો
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે વડાપ્રધાની અપીલ બાદ 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ હતો પરંતુ વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્યારે વિસનગર APMCમાં જાણે કે સરકારના આદેશ અને વાઈરસની ગંભીરતા સમજાતી જ નહોય તેમ છેલ્લા કેટલાક દિવસો વિસનગર APMCમાં વેપારી આગેવાનો અને સત્તાધીશોની નજર સામે જ સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સર્જાય હતા.
વિસનગર APMCમાં સોસીયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડ્યા

જો કે APMCમાં વેપારની લ્હાયમાં ભારે ભીડ સર્જાતા રસ્તાઓ પર ટ્રાફિકજામ જોવા મળ્યું હતું. આ સમગ્ર બાબત અંગે તંત્રને જાણ થતાં આજે વિસનગર પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા APMC સત્તાધીશોને APMC બંધ રાખવા ફરમાન કર્યું છે. સાથે જ તંત્રના આદેશ બાદ 15 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી વિસનગર APMC સજ્જડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, APMCમાં આવેલા શાકમાર્કેટ માત્ર સવારે 8.30 વાગ્યા સુધી ખુલ્લું રાખવા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details