- મહિસાગરના છેવાડાના ગામ ધામોદ ગામમા આવેલું છે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર
- મંદિરમાં ચાલે છે વર્ષોથી અંખડ ધૂણી
- શ્રાવણ માસ દરમિયાન જોવા મળે છે ભક્તોની ભીડ
મહીસાગર: જિલ્લાના લુણાવાડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા ધામોદ ગામ ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે. મહિસાગર જિલ્લામાં ધોળી ડુંગરી પાસે આવેલું શ્રી કેદારેશ્વર મંદિરનો મહિમા અનેરો છે. અંદાજીત 1200 વર્ષ જૂના આ મંદિરનો ઈતિહાસ પારસમણિ અને અર્જુન વૃક્ષ સાથે જોડાયેલો છે. મંદિરની સ્થાપનાથી આજ દિન સુધી અહીં અખંડ દીપ અને અખંડ ધૂણી ચાલે છે. કેદારેશ્વર મહાદેવ મંદિરમાં દર સુદ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. શ્રાવણ માસમાં પણ આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે.
ડુંગરાળ અને ગીચ જંગલ વિસ્તારમાં કેદારેશ્વર મહાદેવ
બાલાસિનોર થી આશરે 30 કિલોમીટર દૂરના અંતરે આવેલું આ રમણીય સ્થાન ખૂબ જ પ્રખ્યાત છે. જે શ્રી કેદારેશ્વર મંદિર ધામોદ તરીકે ઓળખાય છે. કેદારેશ્વર મંદિરની પાસે શેઢી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. લોકવાયકા મુજબ પાંડવોના વસવાટ સમયે ભીમ નદીમાં નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સૂઇ ગયો હતો, જેથી નદીમાં પાણી છલકાતા પાણી મંદિરમાં ભરાયું હતું.
શિવ સ્વયંભૂ પ્રગટ થઈને લિંગ સ્વરૂપે બિરાજમાન
શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં યાત્રિકો, સાધુ-સંતો અને માનવ મહેરામણ ઊભરાય છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. કેદારેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ છે જેની કોઈએ સ્થાપના કરી નથી.
આ પણ વાંચો : જાણો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શું ગુમાવ્યું?