ગુજરાત

gujarat

બાલાસિનોર MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપતા અંધારપટ છવાયો

By

Published : Dec 21, 2019, 9:21 PM IST

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરમાં નગરપાલિકાએ વીજબીલના બાકી નાણાંની ભરપાઈ ન કરતાં MGVCL દ્વારા નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાતા નગરમાં અંધારપટ છવાયો છે. નગર પાલિકા દ્વારા લાઈટનું વીજબીલ 68 લાખ રૂપિયા જેટલી રકમ બાકી નીકળતા છેલ્લા પંદર દિવસથી નગરમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા પ્રજાની મૂશ્કેલી વધી છે.

etv bharat
બાલાસિનોર નગરમાં MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપતા અંધારપટ છવાયો

બાલાસિનોર નગરપાલિકાના MGVCL વીજ બિલ પેટે 68 લાખ રૂપિયા જેટલી રકમ બાકી રહેતા MGVCL કંપનીએ તારીખ 7-12-2019 ના દિવસથી બાલાસિનોર ટાઉન વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું. જેના કારણે બાલાસિનોર નગરમાં અંધારપટ છવાઇ ગયો હતો.

બાલાસિનોર નગરમાં MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપતા અંધારપટ છવાયો

બાલાસિનોર MGVCL નાયબ ઈજનેરના જણાવ્યા મુજબ નગરપાલિકાએ સાત લાખ રૂપિયા MGVCL કચેરીએ ભર્યા હતા.પરંતુ ઉપલી કચેરીની સુચના મુજબ બાકી રકમમાંથી 50 ટકા રકમ ભરપાઈ થાયતો નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ પુનઃ ચાલુ કરી શકાય તેમ છે.

બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના કોઈ પણ નાણાં ભરપાઈ કરવાના બાકી નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષના નાણાં જે બાકી હતા. તેમાંનાં 9 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવામાં આવી છે.

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે છેલ્લા પંદર દિવસથી નગરમાં અંધારપટ છવાયેલો રહેતા રસ્તા ઉપર અકસ્માત કે રાત્રીના સમયે ચોરીના બનાવ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન જલ્દી હલ થાય તેમ નગરજનો ઈચ્છી રહ્યાં છે.

Intro:બાલાસિનોર:-
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં નગર પાલિકાના વીજબીલ બાકી નીકળતા નાણાં ન ભરપાઈ થતા MGVCL દ્વારા નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાતા નગરમાં અંધારપટ છવાયો છે. નગર પાલિકા દ્વારા લાઈટનું વીજબીલ 68 લાખ રૂપિયા જેટલી રકમ બાકી નીકળતા છેલ્લા પંદર દિવસથી નગરમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા પ્રજાની મૂશ્કેલી વધી છે.


Body:બાલાસિનોર નગરપાલિકાના MGVCL વીજ બિલ પેટે 68 લાખ રૂપિયા જેટલી રકમ બાકી રહેતા MGVCL કંપનીએ તારીખ 7-12-2019 ના દિવસથી બાલાસિનોર ટાઉન વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું જેના કારણે બાલાસિનોર નગરમાં અંધારપટ છવાઇ ગયો છે. બાલાસિનોર MGVCL નાયબ ઈજનેરના જણાવ્યા મુજબ નગરપાલિકાએ સાત લાખ રૂપિયા MGVCL કચેરીએ ભર્યા છે પરંતુ ઉપલી કચેરીની સુચના મુજબ બાકી રકમમાંથી 50 ટકા રકમ ભરપાઈ થાય તો નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ પુનઃ ચાલુ કરી શકાય તેમ છે.
બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના કોઈ પણ નાણાં ભરપાઈ કરવાના બાકી નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષના નાણાં જે બાકી હતા તેમાંનાં 9 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવામાં આવી છે.


Conclusion: હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે છેલ્લા પંદર દિવસથી નગરમાં અંધારપટ છવાયેલો રહેતા રસ્તા ઉપર અકસ્માત કે રાત્રીના સમયે ચોરીના બનાવ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન જલદી હલ થાય તેમ નગરજનો ઈચ્છી રહયા છે.

બાઈટ -1રાજેશભાઈ વસૈયા, નાયબ ઈજનેર , બાલાસિનોર (બ્લેક જેકેટ)
બાઈટ-2 ભદ્રેશભાઈ પટેલ, ચીફ ઓફિસર નગરપાલિકા, બાલાસિનોર(ઓરેન્જ શર્ટ)

ABOUT THE AUTHOR

...view details