ગુજરાત

gujarat

કચ્છના મીની તરણેતર સમા મોટા યક્ષના મેળાનો પ્રારંભ, મોદીનું સેલ્ફી પોઇન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

By

Published : Sep 15, 2019, 8:54 PM IST

કચ્છના મીની તરણેતર સમા મોટા યક્ષના મેળાનો પ્રારંભ

કચ્છ: જિલ્લાનો સૌથી મોટો અને મીની તરણેતર સમાન મોટા યક્ષના લોકમેળાનો 15 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ મેળાને રાજ્યપ્રધાન વાસણ ભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડાએ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લાભરમાં મેળાએ લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. લાખોની સખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે આવે છે. માટે લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ વર્ષે જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, સાથે જ યક્ષ મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.

મેળામાં ખાણીપીણીની સાત બજારો ઉપરાંત 700 થી વધુ સ્ટોલ્સ, ચકડોળ, મોતનો કૂવો, જાદુગર તેમજ મનોરંજનના સાધનો જોવા મળશે.આ 4 દિવસીય મેળામાં પાંચેક લાખ લોકો ઉમટે તેવી શકયતા છે. મેળામાં અસામાજિક તત્વો પર નજર રાખવા ભુજના વિભાગીય પોલીસવડા પંચાલ માર્ગદર્શન હેઠળ 12 PSI અને 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.

કચ્છના મીની તરણેતર સમા મોટા યક્ષના મેળાનો પ્રારંભ

કચ્છવાસીઓ મોટા યક્ષના મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ મેળા દરમિયાન આજે રાત્રે સંતવાણી, કાલે રામા મંડળ અને મંગળવારે બખ મલાખડો યોજાવાનો છે. મીની તરણેતર સમાન આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે CCTV કેમેરા મૂકવામાં આવ્યાં છે.

પ્રથમ જ વાર કચ્છના મોટા યક્ષના મેળામાં આ વખતે મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન ધરાવતા મેગા પેવેલિયન અને મોદી સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. મોટા યક્ષના મેળાની બરાબર મધ્યમાં ઉભા કરાયેલા આ પેવેલયનની થીમ વિશે આયોજન કરનાર સરકારી કચેરી પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા કહ્યું હતું કે, "લોકમેળાઓના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી કામગીરી સાથે લોકો જોડાય અને તે વિશે જાણકારી મેળવે તેમાં મુખ્ય આશય સાથે આયોજન કરવામાં આવ્યું છે."

મોટા યક્ષના મેળામાં આવનાર કચ્છી માડુઓ મોદી-૨ સરકારની 100 દિવસની કામગીરીથી વાકેફ થઈને અત્યારે અમલી પ્રજાલક્ષી 33 જેટલી યોજનાઓની માહિતી મેળવશે ઉપરાંત મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ શતાબ્દી ને ધ્યાને લઈને આ પેવેલિયનમાં મહાત્મા ગાંધી વિશેની માહિતી તેમના જીવન સંદેશ વિશેની જાણકારી પણ કચ્છના આ મેળામાં મૂકવામાં આવી છે.

મોટા યક્ષના મેળામાં આ પેવેલિયનને ખુલ્લો મૂક્યા બાદ રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળાઓ લોકસેવાનું માધ્યમ બની શકે છે. મોટા યક્ષના લોકમેળામાં ઉભા કરાયેલ આ મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલિયનની મુલાકાત લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. આ આઉટ રિચ એક્ઝિબિશને નિહાળ્યા બાદ વાસણભાઇ આહીર અને વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેલ્ફી પોઇન્ટની મુલાકાત લઈ સેલ્ફી લીધી હતી.

Intro:
કચ્છનો સૌથી મોટા ગણાતો અને મીની તરણેતર સમાન મોટા યક્ષના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. મોટા યક્ષના મેળાને રાજ્યપ્રધાન વાસણ ભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડાએ ખુલ્લો મુક્યો હતો
જિલ્લામાં સારા વરસાદના કારણે 4 દિવસીય મેળામાં પાંચેક લાખ લોકો ઉમટી પડશે તેવી શકયતા છે . મેળામાં અસામાજિક તત્વો પર નજર રાખવા ભુજના વિભાગીય પોલીસવાળા પંચાલ માર્ગદર્શન તળે 12 પીએસઆઇ અને 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.
કચ્છવાસીઓ મોટા યક્ષના મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે.આ મેળા દરમિયાન આજે રાત્રે સંતવાણી, કાલે રામા મંડળ અને મંગળવારે બખ મલાખડો યોજાવાનો છે. મીની તરણેતર સમાન આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે
મેળામાં ખાણીપીણીની સાત બજારો ઉપરાંત 700 થી વધુ સ્ટોલ્સ,ચકડોળ,મોતનો કૂવો,જાદુગર તેમજ મનોરંજનના સાધનો જોવા મળશે..ખાસ તો કચ્છભરમાંથી લોકો આ મેળાને મહાલવા માટે ઉમટી પડે છેBody:પ્રથમ જ વાર કચ્છના મોટા યક્ષના મેળામાં આ વખતે મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન ધરાવતા મેગા પેવેલિયન અને મોદી સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. મોટા યક્ષના મેળાની બરાબર મધ્યમાં ઉભા કરાયેલા આ પેવેલયનની થીમ વિશે આયોજન કરનાર સરકારી કચેરી પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા કહ્યું હતું કે, લોકમેળાઓના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી કામગીરી સાથે લોકો જોડાય અને તે વિશે જાણકારી મેળવે તેમાં મુખ્ય આશય સાથે આયોજન કરવામાં આવ્યું છે

મોટા યક્ષના મેળામાં આવનાર કચ્છી માડુઓ મોદી-૨ સરકારની 100 ડેઝ (૧૦૦ દિવસ) ની કામગીરીથી વાકેફ થઈને અત્યારે અમલી પ્રજાલક્ષી ૩૩ જેટલી યોજનાઓની માહિતી મેળવશે ઉપરાંત મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ શતાબ્દી ને ધ્યાને લઈને આ પેવેલિયનમાં મહાત્મા ગાંધી વિશેની માહિતી તેમના જીવન સંદેશ વિશેની જાણકારી પણ કચ્છના આ મેળામાં મૂકવામાં આવી છે

મોટા યક્ષના મેળામાં આ પેવેલિયનને ખુલ્લો મૂક્યા બાદ રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર અનેસાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું છે કે,મેળાઓ લોકસેવાનું માધ્યમ બની શકે છે. મોટા યક્ષના લોકમેળામાં ઉભા કરાયેલ આ મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલિયનની મુલાકાત લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. આ આઉટ રિચ એક્ઝિબિશન ને નિહાળ્યા બાદ વાસણભાઇ આહીર અને વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેલ્ફી પોઇન્ટની મુલાકાત લઈ સેલ્ફી લીધી હતી.Conclusion:

ABOUT THE AUTHOR

...view details