ગુજરાત

gujarat

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, દુધઈ નજીક કેન્દ્રબિન્દુ

By

Published : Sep 2, 2020, 3:08 PM IST

Kutch earthquake
Kutch earthquake ()

કચ્છ જિલ્લાના ભુજમાં ફરી એકવાર 4.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈ નજીક હોવાનું ગુજરાત સિસ્મોલોજી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કચ્છઃ ભુજમાં બુધવારે ભૂકંપનો આંચકો નોંધાયો છે. મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના દુધઈ નજીક બુધવાર બપોરે 2 કલાક અને 9 મિનિટે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો હતો. દુધઈ નજીકના કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાની અસર ગાંધીધામ, અંજાર સહિતના આસપાસના ગામડાઓમાં જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છની ધરતીમાં અવારનવાર હલચલ થાય છે. જે કારણે સમયાંતરે ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. પરંતુ રિક્ટર સ્કેલ પર ભૂકંપનીના આંચકાની તીવ્રતા 4થી ઉપરની હોય છે, ત્યારે આ ભૂકંપ અનુભવી શકાય છે.

ગુજરાત સિસ્મોલોજી વિભાગની સત્તાવાર માહિતી મુજબ, બુધવારની બપોરે 2 કલાક અને 9 મિનિટે દુધઈના નોર્થ-ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. જેની ઉંડાઇ 30.5 કિલોમીટર રહી છે. બપોરે અચાનક ધરતીની અસરને પગલે અનેક લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને ડરનો માહોલ છવાયો હતો. હાલ આ ભૂકંપના આંચકાથી કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા નથી.

દુધઈ નજીક કેન્દ્ર બિન્દુ ધરાવતા 4.1ની તીવ્રતાના ભુકંપનો આંચકા

3 ઓગસ્ટ - ભરૂચમાં 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો

ભરૂચઃ સોમવારે ભરૂચમાં 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

15 જૂન -કચ્છમાં ભૂકંપથી બહુમાળી ઇમારતમાં રહેનારા લોકોમાં ડર

2001ના વિનાશક ભૂકંપની માર ભોગવી ચૂકેલા કચ્છમાં રવિવારથી અનુભવાઈ રહેલા ભૂકંપના ઝટકાને પગલે લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. ભુજમાં ઇમારતોમાં રહેતા રહેવાસીઓમાં આ ભૂકંપને કારણે ભારે ડર જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા બહુમાળી ઇમારત રહેવાસીઓ જણાવી રહ્યાં છે કે એક તરફ કોરોનાની મહામારીનો ડર છે, તો બીજી તરફ ભૂકંપનો ડર તેમને લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ- વર્ષ 2001ના ભૂકંપની અસર 40 વર્ષ સુધી રહેશેઃ ભૂસ્તર અધિકારી

ABOUT THE AUTHOR

...view details