ગુજરાત

gujarat

વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરાઇ

By

Published : May 25, 2021, 10:54 PM IST

કોરોના મહામારીમાં વડતાલ સ્વામી નારાયણ સંસ્થા દ્વારા અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરવામાં આવી છે.

Kheda's latest news
Kheda's latest news

  • વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરાઈ
  • ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાની સેવા
  • 5000 ડિપોઝીટ ભરીને મશીન આપવામાં આવશે, જે દર્દીને જરૂરિયાત પુરી થતા પરત મળશે

ખેડા : વડતાલ સ્વામિનારયણ સંસ્થા દ્વારા કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્કની શરૂઆત કરવામાં આવી છે. વડતાલ મંદિર દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરમાં વડતાલધામ ટોરેન્ટો- કેનેડા સત્સંગ સમાજ તરફથી 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. જે ઉપરાંત અન્ય સંસ્થાઓ તેમજ સત્સંગીઓ દ્વારા પણ કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવાની સેવા કરવામાં આવી રહી છે. જેથી વડતાલ સંસ્થા દ્વારા દર્દીઓની વધુ સારી સેવા કરી શકશે. જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે એમને કોઇએ જરૂર પડતા સંસ્થાના હેલ્પ લાઇન નંબર 7211154962 ઉપર સંપર્ક કરતા જ્યાં સુધી મશીન ઉપલબ્દ્ધ હશે ત્યાં સુધી રૂપિયા 5000 ડિપોઝીટ ભરીને મશીન આપવામાં આવશે અને દર્દીને જરૂરિયાત પુરી થતા મશીન જમા કરાવશે, ત્યારે ડિપોઝીટ પરત આપવામાં આવશે.

વડતાલ મંદિર

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વાર 101 દિવસ બાદ ખુલ્યા, હરિભક્તોએ કર્યા દર્શન

દર્દીઓ માટે દવા સહિતની વિવિધ સેવા દાતાઓ દ્વારા અર્પણ

કોવીડ કેર સેન્ટરમાં વડતાલ હોસ્પિટલમાં પવન સ્વામીની પ્રેરણાથી રૂા. 1 લાખથી વધુની દવા સેવામાં અર્પણ કરી હતી. જ્ઞાનબાગથી પાર્ષદવર્ય કાનજીભગત તરફથી દરેક દર્દીઓને ગરમ પાણીના થર્મસ બોટલ આપવામાં આવ્યા છે.

વડતાલ મંદિર

ABOUT THE AUTHOR

...view details