ગુજરાત

gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 5થી 15 એપ્રિલ સુધી ભોજનાલય અને ઉતારા બંધ

By

Published : Apr 5, 2021, 6:53 PM IST

ખેડા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજથી ભોજનાલય અને ઉતારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મંદિર દ્વારા ભાવિકો તેમજ સંતોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ આગામી 15 એપ્રિલ સુધી આ વ્યવસ્થા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર
વડતાલ સ્વામિનારાયણ મંદિર

  • 5થી 15 એપ્રિલ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિર રહેશે બંધ
  • મોટી સંખ્યામાં ભાવિકો લેતા હોય છે લાભ
  • ગાઈડલાઈનના પાલન સાથે દર્શન ચાલુ રહેશે

ખેડા : જિલ્લામાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જે બાબતને ગંભીરતાથી લઇને યાત્રાધામ વડતાલ ખાતે ભોજનાલય તેમજ ઉતારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5થી 15 એપ્રિલ સુધી રહેશે બંધ

કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને મંદિર દ્વારા આજથી એટલે કે, 5 એપ્રિલથી 15 એપ્રિલ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. ભક્તોની અને સંતોની સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા 65 હજાર માસ્કનું વિતરણ

મોટી સંખ્યામાં ભાવિકો લે છે લાભ

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઊભી કરવામાં આવેલી ઉતારાની તેમજ ભોજનાલયની વ્યવસ્થાનો દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેતા હોય છે. મંદિર ખાતે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી કોરોના સંક્રમણ અટકાવવા ઉતારા અને ભોજનાલય બંધ રખાશે.

આ પણ વાંચો -વડતાલ મંદિરના સંતો દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ

ગાઈડલાઈનના પાલન સાથે દર્શન ચાલુ રહેશે

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ 19ની ગાઇડલાઇનના પાલન સાથે મંદિરમાં દર્શન કરી શકાશે. દર્શન માટે આવનારા હરિભક્તોએ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો -વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દ્રાક્ષોત્સવ ઉજવાયો

ABOUT THE AUTHOR

...view details