ગુજરાત

gujarat

ડાકોરમાં સંતો દ્વારા રસીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

By

Published : Jun 9, 2021, 3:52 PM IST

કોરોના સંક્રમણ અટકાવવા અત્યારે રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે રસી લેવાને લઈને લોકોમાં વિવિધ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. જેને લઇ લોકો સાચી સમજણ કેળવે અને રસી લઇ પોતાની અને પોતાના પરિવારની તે થકી સમગ્ર રાષ્ટ્રની રક્ષા કરી શકે તે માટે સમજાવી રસીકરણ કરાવવા લોકોને પ્રેરવા ડાકોરમાં સંતો દ્વારા ઘરે-ઘરે ફરી લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.

સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો
સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

  • સંતો દ્વારા રસીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો
  • ઘરે-ઘરે જઈને ગુલાબ આપી લોકોને સમજાવ્યા
  • રસી અંગેની અંધશ્રદ્ધાથી લોકો મુક્ત બને તેવો પ્રયાસ

ખેડા :સમગ્ર દેશમાં કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી છે. જોકે, ઘણા વિસ્તારોમાં રસીકરણને લઈને લોકોમાં અનેક ગેરસમજણો પ્રવર્તી રહેલી જોવા મળી રહી છે.

સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

સંતોએ અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધર્યો
લોકોમાં પ્રવર્તી રહેલી ગેરસમજો અંગે લોકોને જાગૃત કરવા યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંતો તેમજ રણછોડરાયજી મંદિરના સેવક તથા સ્થાનિક આગેવાનો દ્વારા શહેરના વિવિધ પછાત અને શ્રમિક વિસ્તારો કે જ્યાં શ્રમિક વર્ગ રહે છે. તેવા વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ આવે અને અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

આ પણ વાંચો : ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ

ઘરે જઈ તેમને ગુલાબ અર્પણ કરી રસી મુકાવે તે માટે સમજાવ્યા

સંતો સહિત આગેવાનો સાથે લોકોને ઘરે-ઘરે જઈ તેમને ગુલાબ અર્પણ કરી રસી મુકાવે તે માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં ખોટી ગેરસમજ દૂર કરી કોરોના સામે રક્ષણ માટે રસી સિવાય કોઈ વિકલ્પ નથી તેમ સમજાવ્યા હતા. લોકો અન્યને પણ રસી લેવા પ્રેરિત કરે તે માટે રસીનું મહત્વ તેમજ માસ્ક પહેરવા પણ લોકોને જાગૃત કરાયા હતા.

સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના રસીકરણ જાગૃતિ માટે ઝૂંબેશ હાથ ધરાઇ

નિમ્ન વર્ગોમાં ગેરમાન્યતાઓના કારણે લોકો રસી મુકવાથી દૂર રહે

સમાજમાં ખાસ કરીને નિમ્ન વર્ગોમાં રસીકરણને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેને લઇ લોકો રસી મુકવાથી દૂર રહે છે. ત્યારે સંતોનો જાગૃતિ માટેનો આ પ્રયાસ આવકાર્ય બન્યો છે.

સીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

ABOUT THE AUTHOR

...view details