ગુજરાત

gujarat

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સેમીનાર યોજાયો

By

Published : Nov 27, 2019, 2:59 PM IST

જૂનાગઢઃ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફૂડ પ્રોસેસિંગ મશીનરીનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ, પૂર્વ કુલપતિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. જેમાં ખેડૂતોએ ખેતીવાડી ક્ષેત્રમાં ઉપયોગી ટેક્નોલોજીની માહિતી મેળવી હતી.

Seminar on Food Processing Technology held at Junagadh Agriculture University
Seminar on Food Processing Technology held at Junagadh Agriculture University

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં ગુરૂવારે ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના કુલપતિ, પૂર્વ કુલપતિઓ અધ્યાપક અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. દિવસે દિવસે ખેતીના ક્ષેત્રે જે સંશોધનો થઈ રહ્યા છે, તેના સંશોધનો ખેડૂતો સુધી પહોંચે અને તેનો લાભ દરેક ખેડૂતને મળે, તે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સેમીનાર યોજાયો

આધુનિક સમયમાં ખેતી પણ હવે મશીનરી ઉપર આધારિત બનતી જાય છે. ત્યારે વિવિધ કૃષિ પેદાશો અનાજ મસાલા ફળફળાદી અને શાકભાજીની જાળવણી, તેમજ તેમને યોગ્ય કક્ષામાં વહેંચવા માટેની શોધ થઈ રહી છે. એક સમય હતો, જ્યારે શાકભાજીથી લઈને અનાજ અને ફળફળાદીના ગ્રેડિંગ માટે માનવ કલાકો ખર્ચવા પડતા હતા. જેને કારણે ફળફ્રૂટથી લઈને શાકભાજી અને અનાજ બજારમાં સમયસર પહોચવામા વિલંબ થતો હતો. પરંતુ હવે જ્યારે ગ્રેડિંગને લઈને અવનવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે આવા સંશોધનો થકી ખેડૂતોનાં હજારો માનવ કલાકો બચાવી તેમના કૃષિ ઉત્પાદનનું ખૂબ જ ટૂંકા સમયમાં ગ્રેડિંગ કરી યોગ્ય સમયે બજાર સુધી પહોંચાડવા મદદરૂપ બની રહ્યા છે. આયોજિત સેમિનારમાં નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપી આગામી દિવસોમાં ખેતીના ક્ષેત્રમાં આધુનિક ઢબ અપનાવવાની ખેડૂતોને સલાહ આપી હતી.

Intro:જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી નો સેમીનાર યોજવામાં આવ્યો હતો


Body:જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફૂડ પ્રોસેસિંગ મશીનરી નો સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં એગ્રી યુનિવર્સિટીના કુલપતિ સહિત પૂર્વ કુલપતિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપીને ખેતીવાડીના ક્ષેત્રમાં ઉપયોગી ટેકનોલોજીની માહિતી મેળવી હતી

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં આજે ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજીનું સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના કુલપતિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ અધ્યાપક અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી દિવસેને દિવસે ખેતીના ક્ષેત્રમાં જે પ્રકારે ફેરફારો સાથેના સંશોધનો થઈ રહ્યા છે તેવા સંશોધનો ખેડૂતો સુધી પહોંચે અને તેનો લાભ ખેડૂતોના ઘર સુધી જાય તે માટે આજના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

આધુનિક સમયમાં ખેતી પણ હવે મશીનરી ઉપર આધારિત બનતી જાય છે ત્યારે વિવિધ કૃષિ પેદાશો અનાજ મસાલા ફળફળાદી અને શાકભાજી ની જાળવણી તેમજ તેમને યોગ્ય કક્ષામાં વહેંચવા માટે ની શોધ થઈ રહી છે એક સમય હતો ત્યારે શાકભાજીથી લઈને અનાજ અને ફળફળાદી ના ગ્રેડિંગ માટે માનવ કલાકો ખર્ચવા પડતા હતા જેને કારણે ફળ ફ્રૂટ થી લઈને શાકભાજી અને અનાજ બ જાર માં સમયસર પહોચવામા મોડું થતું હતું પરંતુ હવે જ્યારે ગ્રેડીગને લઈને અવનવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે આવા સંશોધનો થકી ખેડૂતો હજારો માનવ કલાકો બચાવીને તેમના કૃષિ ઉત્પાદનનું ખૂબ જ ટૂંકા સમયમાં ગ્રેડીગ કરીને યોગ્ય સમયે બજાર સુધી પહોંચાડવા માટે આવા સંશોધનો મદદરૂપ બની રહ્યા છે આજે આયોજિત સેમિનારમાં નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન આપી આપીને આગામી દિવસોમાં ખેતીના ક્ષેત્રમાં પણ આધુનિક ઢબે ખેતી કરવાની ખેડૂતોને સલાહ આપી હતી


Conclusion:

ABOUT THE AUTHOR

...view details