ગુજરાત

gujarat

ગીરના રાજાઓનું વેકેશન આજથી પૂર્ણ, પ્રથમ દિવસે 150 પરમીટ ઇશ્યુ

By

Published : Oct 16, 2019, 10:07 AM IST

Updated : Oct 16, 2019, 11:35 AM IST

જૂનાગઢઃ આજથી સાસણ ગીરમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે. 4 મહિના બંધ રહ્યા બાદ આજે સાસણ ગીર સફારી વિધિવત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 3 તબક્કા માટે 150 પરમીટ ઈશ્યુ કરવામાં આવી હતી.

ગીરના રાજાઓનું વેકેશન આજથી પૂર્ણ, પ્રથમ દિવસે 150 પરમીટ ઇશ્યુ

ચોમાસાના 4 મહિના બંધ રહ્યા બાદ આજથી સાસણ ગીર સફારી પાર્ક ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, ગત 16 જૂનથી ચોમાસાને કારણે તેમજ આ સમય દરમિયાન સિંહોના સંવનન કાળને ધ્યાને લઈને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. જેને આજે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, વહેલી સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓના એક જથ્થાને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારબાદ ત્રણ કલાકના વિરામ બાદ સમયાંતરે બીજા યાત્રિકોને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે. દિવસ દરમિયાન 13 રૂટો પર 3 જેટલી ટ્રીપોને સફારીમાં જવા માટે પરમીટ આપવામાં આવશે.

ગીરના રાજાઓનું વેકેશન આજથી પૂર્ણ, પ્રથમ દિવસે 150 પરમીટ ઇશ્યુ
જ્યારથી ગીર સાસણ સફારી પાર્ક બન્યો છે, ત્યારથી ચોમાસાના 4 મહિના પાર્કને બંધ રાખવામાં આવે છે. વરસાદ દરમિયાન પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેમજ આ સમય દરમિયાન સિંહોનો સવવન કાળ પણ શરુ થતો હોય છે. સિંહ પણ એક પારિવારીક પ્રાણી છે, ત્યારે તેના પર માનવ અવર જ્વરની કોઈ વિપરીત અસરો ન પડે તેને લઈને 16મી જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે જે આજથી પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખોલવામાં આવ્યો છેઆજથી 8 મહિના સુધી પ્રવાસીઓ ગીરના સાવજોને મુક્ત મને વિહરતા જોઈ શકશે.
Intro:આજથી ગીર સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો
Body:આજથી સાસણ ગીરમાં વનરાજોનું વેકેશન થયું પૂર્ણ 4 મહિના બંધ રહયા બાદ આજે સાસણ ગીર સફારી વિધિવત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું પ્રથમ દિવસે 3 તબબકા માટે 150 પરમીટ ઈશ્યુ કરવામાં આવી હતી

ચોમાસાના 4 મહિના બંધ રહયા બાદ આજથી સાસણ ગીર સફારી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ગત 16 જૂનથી ચોમાસાને કારણે તેમજ આ સમય દરમિયાન સિંહોના સવવવન કાળને ધ્યાને લઈને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે જેને આજે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું વહેલી સવારે 6 વાગ્યા પ્રવાસીઓના એક જથ્થાને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે ત્યાર બાદ ત્રણ કલાકના વિરામ બાદ સમયાંતરે બીજા યાત્રિકોને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે દિવસ દરમિયાન 13 રૂટો પર 3 જેટલી ટ્રીપોને સફારીમાં જવા માટે પરમીટ આપવામાં આવશે

જ્યારથી ગીર સાસણ સફારી પાર્ક બન્યો છે ત્યારથી ચોમાસાના 4 મહિના પાર્કને બંધ રાખવામાં આવે છે વરસાદ દરમિયાન પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ના પડે તેમજ આ સમય દરમિયાન સિંહોનો સવવન કાળ પણ શરુ થતો હોય છે સિંહ પણ એક પરિવારીક પ્રાણી ત્યારે તેના પર માનવ અવર જ્વરની કોઈ વિપરીત અસરો ના પડે તેને લઈને 16મી જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે જે આજથી પ્રવાસીઓ માટે વિધિવત ખોલવામાં આવે છે

બાઈટ - 01 વૈજયંતી પ્રવાસી કર્ણાકટ


Conclusion:આજથી 8 મહિના સુધી પ્રવાસીઓ ગીરના સાવજોને મુક્ત મને વિહરતા જોઈ શકશે
Last Updated :Oct 16, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details