જૂનાગઢ: નમ્ર મુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાંજૈન ધર્મમાં રાષ્ટ્રીય સંત તરીકે આત્મ કલ્યાણની અમૃત ધારાઓ સતત વહેતી રાખતા નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં સમગ્ર ચતુર્માસ દરમ્યાન આત્મ કલ્યાણની અમૃત ધારાઓથી ગિરનારની સાધના ભૂમિ પવિત્ર બનશે. ધાર્મિક ઉત્સવ પર્વ મહોત્સવ આરાધના અનુષ્ઠાન અને વિવિધ પ્રકારની આત્મ હિતકારી શિબીરો દ્વારા નમ્રમુનિ મહારાજ સાધના ભૂમિ એવા ગિરનાર પરીક્ષેત્ર માં સમગ્ર માસ દરમિયાન રોકાણ કરીને આત્મ કલ્યાણના માર્ગે લઈ જવાનો ઉપદેશ આપશે. સમગ્ર ચતુર્માસ દરમિયાન સૌરાષ્ટ્ર માંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો 26મી જુન અને સોમવારના દિવસે સાધના ભૂમિ ગિરનારમાં આવીને હું અને મારા ગુરુ ની ઉજવણી કરશે.
"ચાતુર્માસ એટલે સાધના આરાધના અને ઉપાસનાનું ત્રિવેણી સંગમ આ સમય દરમિયાન સાધનાની ભૂમિ એવા ગિરનાર પરીક્ષેત્રમાં ભગવાન નેમીનાથ ગુરુ દત્તાત્રે ની સાધના આરાધના અને ઉપાસના દ્વારા ભક્તો મા આત્મકલ્યાણ ની ભાવના ઉત્પન્ન થાય તે માટે ચતુર્માસ ખૂબ જ મહત્વનો છે. મનુષ્ય પોતાની વૃતિને શાંત કરીને આધ્યાત્મિક આરાધના માટે પુરુષાર્થનો પથ પકડે છે. તેને માટે ચાતુર્માસ ખૂબ જ પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન ભાવિકોએ ધારણ કરેલું મૌન પણ ઉત્તમ સાધના તરીકે ઓળખવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન સૌ ભાવિકોએ સાધના આરાધના અને ઉપાસના દ્વારા પોતાના ઈષ્ટદેવને સમીપે જવાનો પ્રયાસ કરવો જોઈએ"-- (નમ્રમુનિ મહારાજ રાષ્ટ્રીય સંત)