- કનસુમરા સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી
- ઓરડા ખૂટી પડતા બાળકોને લોબીમાં બેસાડવાની આવી નોબત
- કોરોના કાળમાં શાળાના સ્ટાફ દ્વારા કરાયેલ ફળિયા શિક્ષણ
જામનગર :કોરોના (Corona)કાળમાં ખાનગી શાળા(Private school)ઓમાંથી વિદ્યાર્થીઓનો સરકારી શાળા(Government school)ઓ તરફ ઝોક વધ્યો છે. જેનું સ્પષ્ટ ઉદાહરણ જામનગર જિલ્લાના કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં (Kansumara Wadi Primary School)સામે આવ્યું છે. શાળાના સ્ટાફ દ્વારા અભ્યાસ સાહિત્ય, પાઠ્ય પુસ્તક, ઓનલાઇન શિક્ષણ, ફળિયા શિક્ષણ સહિતની કરાયેલી ઉમદા કામગીરીને પગલે વિદ્યાર્થીઓએ આ સરકારી શાળા (Government school)તરફ દોટ મુકતા હાલ શાળામાં ઓરડ ખુટી પડ્યા છે અને વિદ્યાર્થીઓને લોબીમાં બેસાડી શિક્ષણ આપવું પડે તેવી નોબત આવી છે. મહત્વનું છે કે શાળામાં પાંચ ઓરડા છે અને બે ઓરડા મંજૂર થયા છે જે બે ઓરડાના કામનું ખાતમુહૂર્ત(Completion of room work) ગત્ ઓગષ્ટ માસમાં થયું છે જે કામ પૂર્ણ થયા બાદ વ્યવસ્થા કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય દ્વારા જણાવાયું છે.
ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 155 હતી જે હાલ 258
કોરોના મહામારીને પગલે બંધ કરાયેલી શાળાઓમાં શિક્ષણ કાર્યનો ગઇકાલથી ક્રમશ: રાબેતા મુજબ ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે જામનગર જિલ્લાની કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના એડમીશનમાં મોટા પાયે વધારો થતાં શાળામાં ઓરડાની ઘટ્ટ ઉભી થઈ છે. આ અંગે શાળાના આચાર્ય ઓધવજી પરસોતમ હિરપરાએ જણાવ્યું હતું કે, ગત્ વર્ષે એપ્રિલ માસના અંતે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 155 હતી. જેની સામે 6 શિક્ષકો હતાં. ત્યારબાદ શાળામાં યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકોના ખંતથી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ આકર્ષાયા છે.
ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા વિદ્યાર્થીઓ
આ ચાલુ વર્ષે શાળામાં સીધા 258 વિદ્યાર્થીઓની સંખ્યા થતાં ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા વિદ્યાર્થીઓ થયા છે. જેની સરખામણીએ શાળામાં 8 શિક્ષકોનો સ્ટાફ છે. આથી ધોરણ 1 થી 5 માં એક શિક્ષકની ઘટ્ટ અને ધોરણ 6 થી 8 માં એક શિક્ષકની ઘટ્ટ છે. જે ડિસેમ્બર માસમાં સેટઅપ કેમ્પ દરમિયાન પુરી થઈ શકશે.