ગુજરાત

gujarat

જામનગરની જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ

By

Published : Jun 14, 2021, 11:14 AM IST

જામનગરની જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો હતો. જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ 6 નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો.

જામનગરની જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ
જામનગરની જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ

  • જામનગર જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો
  • શનિ મકવાણા નામના કાચા કામના કેદીએ કર્યો જેલ સહાયક પર હુમલો
  • જુદા-જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ ભેગા થઈ ગયા

જામનગર: જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ 6 નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેના કારણે જુદા-જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ ભેગા થઈ ગયા હતા.

કેદીઓ બાખડતા સહાયક વચ્ચે પડયા અને માર મળ્યો

આ સમયે જેલના સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા દોડી આવ્યા હતા અને તમામને છુટા પાડી પોતાની બેરેકમાં કેદીઓને જવા માટેનો આદેશ કર્યો હતો. જે દરમિયાન 6 નંબરની બેરેકમાં રહેલા જામનગરના વતની અને હત્યા કેસના એક ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા સની શામજીભાઈ મકવાણાએ જેલ સહાયક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યાર પછી ડખો કરીને ઝપાઝપી કરી દીધી હતી. ઉપરાંત જેલ સહાયકને ધક્કો મારી પછાડી દઇને તેના પેન્ટનું બટન તોડી નાખ્યું હતુ અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી આ મામલો સીટી A ડીવીઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે.

આ પણ વાંચો:Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ

CTએ ડિવિજનમાં કેદી વિરુદ્ધ ફરજમાં રુકાવતની નોંધાઈ ફરિયાદ

જેલ સહાયક અજય સિંહ પ્રભાતસિંહ જાડેજાએ જેલમાં કાચા કામના કેદી શનિ સામજી મકવાણા સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા સીટી A ડીવીઝન પોલીસે IPC કલમ 186, અને 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જામનગર જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો

આ પણ વાંચો:રાજકોટ સિવિલના કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું, પોલીસ ફરિયાદ

જેલ અધિક્ષકે તમામ મળતી સુવિધાઓ કરી બંધ

આ ઉપરાંત જેલના અધિક્ષક પરાક્રમસિંહ જાડેજા દ્વારા કેદી સામે જેલના નિયમો મુજબ આગળની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને જેલમાં કેદીઓને મળતી જુદી-જુદી સુવિધાઓ જેવી કે ટેલિફોન પર પરિવાર સાથે વાત કરાવી, ઇ મુલાકાત, કેન્ટીનની સુવિધા વગેરે બંધ કરી દેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details