ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં કોરોનાની સારવાર માટે કોંગ્રેસના બે પ્રતિનિધિઓએ 27.50 લાખની રકમ ફાળવી

By

Published : Apr 29, 2021, 3:05 PM IST

ગીર સોમનાથ જિલ્‍લામાં કોરોનાની સારવાર માટે જરૂરી સુવિધાની ભારે કમી જોવા મળી રહી છે. જે પુરી કરવા અંગે તાલાલાના કોંગી ધારાસભ્‍ય અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ પોતાને મળતી કુલ 27.50 લાખથી વધુ રકમની વિકાસ ગ્રાન્ટ કોરોના મહામારીમાં આરોગ્ય સેવા સાધનો વસાવવા માટે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરી છે. ત્‍યારે કોંગ્રેસી લોકપ્રતિનિધિઓની પહેલ પરથી સત્તાધારી ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવે છે કે કેમ તે જોવું રહેશે.

ગીર સોમનાથમાં કોરોનાની સારવાર માટે કોંગ્રેસના બે પ્રતિનિઘિઓએ 27.50 લાખની રકમ ફાળવી
ગીર સોમનાથમાં કોરોનાની સારવાર માટે કોંગ્રેસના બે પ્રતિનિઘિઓએ 27.50 લાખની રકમ ફાળવી

  • સીએચસી કેન્‍દ્રમાં સાધનો વસાવવા અને દવાઓ ખરીદવા ફાળવ્યા
  • 100 બેડની સુવિધાવાળી વેરાવળમાં એકમાત્ર સરકારી કોવિડ હોસ્‍પિટલ કાર્યરત
  • દવાઓ માટે કુલ રૂપિયા 24 લાખની ધારાસભ્‍ય ફંડમાંથી ફાળવણી કરી

ગીર સોમનાથઃ જિલ્‍લાની બાર લાખથી વધુની વસતિ માટે 100 બેડની સુવિધાવાળી વેરાવળમાં એકમાત્ર સરકારી કોવિડ હોસ્‍પિટલ કાર્યરત છે. જેમાં પણ સારવાર માટે જરૂરી સુવિધાની અછત છે. જિલ્‍લાના મોટાભાગના સીએચસી કે પીએચસી કેન્‍દ્રોમાં કોરોનાની સારવાર લોકોને મળી રહી નથી. જેની પાછળ પુરતા સંસાધનો અને સુવિધા ન હોવાનું જાણવા મળ્યું છે. એવા સમયે જિલ્‍લામાં કોંગ્રેસના બે લોકપ્રતિનિધિઓએ પોતાને મળતી ગ્રાંટો આરોગ્‍ય સુવિધા પુરી પાડવા પહેલ કરી છે. જેમાં તાલાલાના કોંગી ઘારાસભ્‍ય ભગવાનભાઇ બારડે પોતાના મતવિસ્‍તાર હેઠળ આવતા સુત્રાપાડા અને તાલાલા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર માટે જરૂરી ઓક્સિજન કોન્‍સનટ્રેટર નંગ - 15, ઓક્સિજન સિલીન્‍ડર જમ્‍બો નંગ - 35, એનઆરબી માસ્‍ક-200, ઓક્સિજન ફલો મીટર -35, વ્‍હીલચેર - 12, સ્‍ટ્રેચર - 4, કેશકાર્ટ ટ્રોલી - 2 તથા દવાઓ માટે કુલ રૂપિયા 24 લાખની ધારાસભ્‍ય ફંડમાંથી ફાળવણી કરી છે. આ અંગે જિલ્‍લા આયોજન અધિકારીને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરી સત્‍વરે સાધન-સામગ્રી ઉપલબ્‍ઘ કરાવવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃમોરબીના ઉદ્યોગપતિ દર્દીના વ્હારે આવ્યાં, સારવાર માટે મંગાવ્યા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન

આગળની કાર્યવાહી કરવા ડીડીઓને પત્ર પણ પાઠવ્યો છે

જયારે જિલ્‍લા પંચાયતના વિપક્ષી નેતા અભય હીરાભાઇ જોટવાએ પોતાના ડારી જિલ્‍લા પંચાયતની સીટ હેઠળ આવતા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઓક્સિજન કોન્‍સન્‍ટ્રેટર, મેડીકલ સાધનોની ખાસ જરૂરીયાત હોવાથી તે ખરીદ કરવા માગે છે. જી.પ.ના સભ્‍યો તરીકે વર્ષ 2021-22 ની વિકાસકામો માટેના સદસ્‍ય ફંડમાંથી રૂપિયા 3.57 લાખ રકમની ફાળવણી કરી છે. આ અંગે તાત્‍કાલીક આગળની કાર્યવાહી કરવા ડીડીઓને પત્ર પણ પાઠવી દીઘો છે.

ABOUT THE AUTHOR

...view details