ગુજરાત

gujarat

GIR SOMNATH: નેશનલ હાઇવેનું કામ પુરૂ ન થતા કોંગી ધારાસભ્‍ય દ્વારા આંદોલન

By

Published : Aug 1, 2021, 8:15 AM IST

દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને જોડતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (National haigh way)નું કામ વર્ષ 2016માં શરૂ થયું હતુ. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું જે ન થયું અને વધારે સમય મર્યાદા સાથે 22 માસ કર્યા, પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પુરૂ થયુ નથી. બેજવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા આજરોજ ધારાસભ્ય ભગવાનભાઇ બારડે રસ્તા રોકો આંદોલન કરવાની અગાઉથી લેખિત ચીમકી તંત્રને આપેલી હતી.

GIR SOMNATH
GIR SOMNATH

  • ઘારાસભ્‍યને નેશનલ હાઇવે (National haigh way) ઓથો.ની અઘિકારીએ લેખિત બાહેઘરી
  • આંદોલન મુલત્‍વી રાખી ઘારાસભ્‍ય સમર્થકો સાથે રસ્‍તા પરથી ખસી ગયા
  • 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં નેશનલ હાઇવેનું કામ પુરૂ થયુ નથી

ગીર સોમનાથ: છેલ્‍લા ચાર વર્ષથી વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવેની બિસ્માર સ્‍થ‍િતિના મુદે કોંગી ધારાસભ્ય રોડ પર ઉતરી ચક્કાજામ કરવા પહોંચ્યા હતા. એ સમયે દોડી આવેલા નેશનલ હાઇવે (National haigh way) ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યએ રસ્તા રોકો આંદોલન મુલત્‍વી રાખી દીઘુ હતુ. જોકે, નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરાયો હતો.

22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પુરૂ થયુ નથી

દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને જોડતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે (National haigh way)નું કામ વર્ષ 2016માં શરૂ થયું હતુ. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું જે ન થયું અને વધારે સમય મર્યાદા સાથે 22 માસ કર્યા, પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પુરૂ થયુ નથી. જેના કારણે રસ્તો પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષથી બિસ્માર નેશનલ હાઇવે મુદે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા પણ જવાબદાર ઓથોરિટીને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બેજવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી ન હલતા આજરોજ ધારાસભ્ય ભગવાનભાઇ બારડે રસ્તા રોકો આંદોલન કરવાની અગાઉથી લેખિત ચીમકી તંત્રને આપેલી હતી.

ઘડીભર હાઇવેનો ટ્રાફિક થંભી ગયો હતો

જેના પગલે વેરાવળ-કોડીનાર હાઇવે પર સુત્રાપાડા ફાટક પાસે જયાં રસ્‍તા રોકો આંદોલન કરવાના હતા તે સ્‍થળે આજે સવારથી જ પોલીસ તંત્રએ બંદોબસ્‍ત ખડકી દીઘો હતો. જોકે, આખરે આજે બાર વાગ્‍યે ધારાસભ્ય સમર્થકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના પગલે ઘડીભર હાઇવેનો ટ્રાફિક થંભી ગયો હતો. ત્‍યારે સ્‍થળ પર હાજર પોલીસ અઘિકારીએ સમજાવેલા અને હાઇવે ઓથોરિટીના અઘિકારીએ ઘારાસભ્‍યને લેખિત ખાત્રી આપતા સમર્થકો સાથે તેઓ હાઇવે પરથી ખસી ગયા હતા. જેના પગલે થોડા સમય માટે થંભી ગયેલો ટ્રાફિક પૂર્વવ્રત થઇ ગયો હતો.

આ પણ વાંચો:પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા

મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધર્યુ હતુ

આ હાઇવેનું 22 માસમાં પૂર્ણ કરવાનું કામ ચાર વર્ષ પછી પણ અઘ્‍ધરતાલ અંગે હાઇવે ઓથોરોટીના પ્રોજેકટ ડાયરેક્ટર રાજીવ મલ્હોત્રાએ મિડીયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરેલું હતુ. જેની સામે ધારાસભ્ય ભગવાનભાઇ બારડએ કહેલું કે, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીએ જણાવેલું વરસાદ અને જમીન સંપાદનનું કારણ પાયાવિહોણું છે. જો આગામી દિવસોમાં નકકર પરીણામ નહીં આવે તો પ્રજા હિતમાં ફરી રસ્તા રોકો આંદોલન કરવા ઉપરાંત હજારો લોકો સાથે ભૂખ હડતાલ પર ઉતરવાની ધારાસભ્ય ભગવાન બારડે તૈયાર બતાવી હતી.

આ પણ વાંચો:વડોદરાથી મુંબઈ Express Highwayના જમીન સંપાદન મામલે ચાર ગણાં વળતર ચૂકવવા Highcourt નો આદેશ

ABOUT THE AUTHOR

...view details