ગુજરાત

gujarat

DPS સ્કૂલ મુદ્દે દિલ્હીની ટીમ ગુજરાતમાં ધામા નાખશે, પરવાનગી આપનાર અધિકારી વિરુદ્ધ થશે કાર્યવાહી

By

Published : Dec 3, 2019, 6:34 PM IST

ગાંધીનગર: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણમાં આવેલ DPS શાળામાં નિત્યાનંદ આશ્રમ શરૂ કરવાની બાબતને લઈને CBSE દ્વારા અમદાવાદ GPS પોતાની માન્યતા રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ બાબતે દિલ્હીથી મંગળવારે CBSCની ટીમ ગુજરાત આવશે અને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવશે. જ્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આજુ-બાજુની કઈ શાળામાં ટ્રાન્સફર કરવા તે અંગે પણ દિલ્હીની ટીમ ચર્ચા કરશે.

DPS શાળામાં વિવાદ
DPS શાળામાં વિવાદ

DPS શાળામાં વિવાદ મુદ્દે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા CBSCના ચેરમેન અનિતા કર્નવાલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં DPS વિવાદ મુદ્દે CBSCના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. જે અધિકારીઓ મંગળવારના રોજ સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર મામલે વિગત મેળવશે. જ્યારે આ બેઠકમાં DPSની માન્યતા રદ કરવા માટેનો મહત્વ નિર્ણય કરવામાં આવશે.

દિલ્હીની ટીમ DPS મુદ્દે ગુજરાતમાં ધામા નાખશે

જ્યારે શિક્ષણ વિભાગના ઉચ્ચ સુત્રોની જંકરી પ્રમાણે દિલ્હીથી CBSC ટીમ ગુજરાત આવાની છે. DPS સ્કૂલને માન્યતા આપનાર અધિકારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ DPS સ્કૂલને આપવામાં આવેલ પરવાનગી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવશે. જ્યારે રાજ્ય શિક્ષણ વિભાગે DPS મુદ્દે પ્રાથમિક શાળા નિયામકને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. જેમાં વર્ષ 2012માં DPS સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી. જે દરમિયાન DPS સ્કૂલ માન્યતા મુદ્દે સંબંધિત અધિકારી વિરુદ્ધ તપાસ થશે અને જો અધિકારી નિવૃત હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ માં આવેલ અમદાવાદ પૂર્વ ડીપીએસ શાળામાં નિત્યાનંદ આશ્રમ શરૂ કરવાની બાબતને લઈને સીબીએસઈ દ્વારા અમદાવાદ gps પોતાની માન્યતા રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ બાબતે દિલ્હીથી આજે સીબીએસસી ની ટીમ ગુજરાત આવશે અને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવશે.. જ્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આજુબાજુની કઈ શાળામાં ટ્રાન્સફર કરવા તે અંગે પણ દિલ્હીની ટીમ ચર્ચા કરશેBody:શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સી બી એસ સી ના ચેરમેન અનિતા કર્નવાલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી જેમાં ડીપીએસ વિવાદ મુદે સીબીએસીસીના ના સિનિયર અધિકારીઓ ને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે જે અધિકારીઓ આજ સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર મામલે વિગત મેળવશે. જ્યારે આ બેઠક માં ડીપીએસ ની માન્યતા રદ કરવા માટે નો લેવાશે મહત્વ નિર્ણય કરવામાં આવશે.

બાઈટ... ભુપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણપ્રધાનConclusion:જ્યારે શિક્ષણ વિભાગના ઉચ્ચ સુત્રોની જંકરી પ્રમાણે આજે દિલ્હીથી સીબીએસસી ટિમ ગુજરાત આવની છે ત્યારે ડીપીએસ સ્કૂલને માન્યતા આપનાર અધિકારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ ડીપીએસ સ્કૂલને આપવામાં આવેલ પરવાનગી વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવશે. જ્યારે રાજ્ય શિક્ષણ વિભાગે ડીપીએસ મુદ્દે પ્રાથમિક શાળા નિયામકને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. જેમાં વર્ષ 2012માં ડીપીએસ સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી તે દરમિયાન ડીપીએસ સ્કૂલ માન્યતા મુદ્દે સંબંધિત અધિકારી વિરુદ્ધ તપાસ થશે અને જો અધિકારી નિવૃત હશે તો પણ થશે કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details