ગુજરાત

gujarat

કોરોનાની સંભવિત ચોથી લહેરને પહોંચી વળવા કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આપ્યો ઉપાય

By

Published : Dec 24, 2022, 4:43 PM IST

ગાંધીનગરમાં આવેલા નેશનલ ઈન્સ્ટિટયૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના (NIPER ahmedabad) કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા (Dr Mansukh Mandaviya Health Minister) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે દેશમાં આવનારી સંભવિત કોરોનાની ચોથી લહેર અંગે માહિતી (Covid forth wave in india) આપી હતી. સાથે જ જનતાને અપીલ કરી હતી.

કોરોનાની સંભવિત ચોથી લહેરને પહોંચી વળવા કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આપ્યો ઉપાય
કોરોનાની સંભવિત ચોથી લહેરને પહોંચી વળવા કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આપ્યો ઉપાય

લોકોને કરાઈ રહ્યા છે જાગૃત

ગાંધીનગરચીન સહિત વિશ્વના 10 દેશોમાં કોરોના બેકાબૂ (Covid Cases in India) બન્યો છે. સાથે જ કોરોનાનો નવો વેરિયન્ટ પણ તબાહી મચાવી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન (Adherence to Covid Protocol) કરાવવા પત્ર લખ્યો છે. આ ઉપરાંત તમામ એરપોર્ટ પર ટેસ્ટીંગ માટેની પણ સૂચના પણ આપી છે. તેવામં આજે ગાંધીનગરમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં (NIPER ahmedabad) કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister) નિવેદન આપ્યું હતું કે, તમામ લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

માસ્ક પહેરી રાખવુંઃ માંડવિયાકેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister)વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા, બ્રાઝિલ, ચીન જેવા દેશોમાં કોરોનાના વિસ્ફોટ થયો છે અને નવો વેવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આપણા દેશમાં કોરોનાની મહામારીને (Covid Cases in India) ફેલાતી અટકાવવા માટે કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. ગઈકાલે જ તમામ રાજ્યોને એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી.

લોકોને કરાઈ રહ્યા છે જાગૃત કેન્દ્રિય આરોગ્ય પ્રધાને ઉંમેર્યું (Dr Mansukh Mandaviya Health Minister) હતું કે, આ ઉપરાંત જાહેરાતોના માધ્યમથી પણ દેશની જનતાને જાગૃત કરવામાં આવી રહી છે. સાથે જ સંસદના ફ્લોર પર પણ મેં નિવેદન આપીને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા આપ સૌએ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર જાળવી રાખવાનું તેમ જ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. જો આ રીતે કરવામાં આવશે તો ભવિષ્યની અંદર આપણા દેશની અંદર આવતી કોરોનાના (Covid Cases in India) નવા વેરિએન્ટના સંક્રમણથી આપણે બચી શકીશું.

મેળાવળા બાબતે કેન્દ્રિય આરોગ્ય પ્રધાનનો જવાબતેમણે વધુમાં (Dr Mansukh Mandaviya Health Minister)જણાવ્યું હતું કે, મળતી માહિતી પ્રમાણે એક ચેપીગ્રસ્ત વ્યક્તિ ઓછામાં ઓછું 18 વ્યક્તિને સંક્રમણ લગાવી શકે છે. ત્યારે મેળાવડા અંગે તેમણે જણાવ્યું હતું કે, પહેલા દિવસે મેં નિવેદન આપ્યું હતું તે સ્પષ્ટ છે. આપણે તમામ લોકોએ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. જ્યારે આપણે પ્રથમ, બીજી અને ત્રીજી લહેરમાં (Covid forth wave in india) આપણે જોયું છે, જેમાં કોરોના પ્રોટોકોલનું પાલન (Adherence to Covid Protocol) કરીને વ્યવસાયલક્ષી અને અન્ય કાર્યક્રમો કરી શકાય છે.

કાંકરિયા કાર્નિવલ મુદ્દે માંડવીયાનું નિવેદનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનું (kankaria carnival 2022) આયોજન કરવામાં આવશે. ત્યારે આ અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું (Dr Mansukh Mandaviya Health Minister) કે, ભૂતકાળના અનુભવથી કોરોના પ્રોટોકોલ પાલન કરવું (Adherence to Covid Protocol) જરૂરી છે. તેનાથી જ ચોથી લહેરથી (Covid forth wave in india) બચી શકીશું.

કોરોના વચ્ચે યોજાશે કાર્નિવલ મહત્વનું છે કે, દેશમાં ફરી કોરોના (Covid Cases in India) સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ (kankaria carnival 2022) યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટશે. એટલે અહીં કોરોનાનું સંક્રમણ વધવાની સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details