ગુજરાત

gujarat

President Kovind Gujarat Visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાધીશના ચરણોમાં જુકાવશે શીશ, થઈ રહી છે તડામાર તૈયારી

By

Published : Apr 9, 2022, 2:12 PM IST

રામનવમીના તહેવાર લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે (President Kovind Gujarat Visit) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારકાધીશના (President visits Dwarka 2022) ચરણોમાં દર્શન - પુજા કરી શીશ જુકાશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિના આગમનને લઈને સુરક્ષા પણ વધારો કરાયો છે.

President Gujarat Visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાધીશના ચરણોમાં જુકાશે શીશ
President Gujarat Visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાધીશના ચરણોમાં જુકાશે શીશ

દેવભૂમિ-દ્વારકા :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે (President Kovind Gujarat Visit) આવી રહ્યા છે. હિન્દુ ધર્મ અનુસાર રામનવમીના (Ram Navami Festival 2022) તહેવાર વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ભારે ઉલ્લાસ સાથે રામનવમીના પર્વને ઉજવવામાં આવે છે. તેને લઈને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યાત્રાધામ (President visits Dwarka 2022) દ્વારકા આવી રહ્યા છે.

આ પણ વાંચો :કેવડિયામાં આજથી 2 દિવસ યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રપતિ દ્વારકાધીશના ચરણોમાં શીશ જુકાશે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભગવાન દ્વારકાધીશના (President Ramnath Kovind in Dwarka) ચરણોમાં શીશ જુકાશે. યાત્રાધામ દ્વારકા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભગવાન દર્શન - પૂજન પણ કરશે. રાષ્ટ્રપતિના આગમને લઈને સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓને ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિના આગમને લઈને વિશેષ તૈયારી (Ram Navami Festival in Dwarka 2022) પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :President Gujarat Visit Update: દરેક નાગરિક સમાન ન્યાય મેળવવાનો હકદાર છેઃ રાષ્ટ્રપતિ

સુરક્ષામાં વધારો કરાયો -કાળિયા ઠાકોરના દર્શને રાષ્ટ્રપતિ પધારી રહ્યા છે. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે સુરક્ષામાં વધારો કરાયો હતો. અને રાષ્ટ્રપતિની દ્વારકા મુલાકાત સંદર્ભે ઝેડ પ્લસ સુરક્ષા સાથે 975 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તો હેલીપેડથી જગતમંદિર અને સર્કિટ હાઉસ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Arrangements For Arrival of President) ગોઠવવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દ્વારકા મુલાકાતમાં કોઈ કચાસના રહી જાય તે હેતુ થી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.

ABOUT THE AUTHOR

...view details