દ્વારકા:દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના 5250માં જન્મોત્સવ નિમિતે ભાવ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશ સહીત દ્વારકા નગરી પણ કૃષ્ણમય થઇ ગઈ છે. લોકો જન્માષ્ટમીના પર્વ પર બાલગોપાલની લીલાઓને યાદ કરીને તેમની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. બાદ ગોપાળને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવશે. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા છે.
Krishna Janmashtami 2023 Dwarka Live: દ્વારકા નગરી બની કૃષ્ણમય, 'શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય'ના નાદથી ગૂંજી ઉઠ્યા મંદિર પરિસરો
Published : Sep 7, 2023, 11:41 AM IST
જન્માષ્ટમીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ તરફ આજે દેશભરના અલગ-અલગ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. કાળિયા ઠાકારના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
krishna-janmashtami-2023-jagat-mandir-dwarka-became-krishnamaya-with-mangala-aarti
update....