ગુજરાત

gujarat

Accident at Chhotaudepur: અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત

By

Published : Mar 17, 2022, 4:27 PM IST

ખાનગી મીની બસમાં દાહોદના જુના બારીયા ગામના વણકર સમાજના લોકો અસ્થિ વિસર્જન માટે ચાણોદ(Chanod to Astivisarjan) જતા હતાં. આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત,3 ગંભીર રીતે ઇજગ્રસ્ત થયા હતાં. લોકોએ ઘટના સ્થળે દોડી જઈ ડ્રાઈવરને બસની બહાર કાઢ્યો હતો.

Accident at Chhotaudepur: અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત
Accident at Chhotaudepur: અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત

છોટાઉદેપુર:બોડેલી હાઇવે ઉપરઅચાનક બસ પલટી મારતા આ અકસ્માત(bus accident overturned) સર્જાયો હતો. આ બસમાં 50 મુસાફરો સવારી કરી રહ્યા હતાં. જેમા 4 બાળકો બાકી તમામ પુરુષો અને મહિલાઓ હતી. વણકર સમાજના (Vankar Samaj)કાનાભાઈના અસ્તિ પધરાવવા ચાણોદ બસ કરી જતા હતાં. આસપાસના ગામવાસીઓએ મીની બસમાથી લોકોને બહાર કાઢ્યાં હતાં.

ખાનગી મીની બસમાં દાહોદના જુના બારીયા ગામના વણકર સમાજના લોકો અસ્થિ વિસર્જનમાટે ચાણોદ(Chanod to Astivisarjan) જતા હતા.

આ પણ વાંચો:થરા-સિહોરી હાઇવે પર બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત, એકનું મોત

સ્ટિયરિંગ લોક થઈ જતા બસનો અકસ્માત - દાહોદના જુના બારીયા ગામના વણકર સમાજના લોકો ખાનગી મીની બસમાં (In a private minibus)અસ્થિ વિસર્જનમાટે ચાણોદ જતા હતાં, બસમાં 50 જેટલા લોકો હતાં સવાર ત્યારે છોટાઉદેપુર બોડેલી હાઇવે (Chhotaudepur Bodeli Highway)ઉપર જબૂગામ પાસે ખાનગી બસનું સ્ટેરીંગ લોક થઈ જતાં (bus steering is locked)બસ ખાડામાં ઉતરી ઝાડ સાથે અથડાતાં અકસ્માત, સર્જાયો હતો. જેમા 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત,3 ગંભીર રીતે ઇજગ્રસ્ત થયાં હતાં. સ્ટિયરિંગ લોક થઈ જતા બસ રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયોની (Accident at Chhotaudepur)સ્થાનિક લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી ડ્રાઈવરને બસની બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સને(108 Ambulance0 જાણ કરાતાં ઇજાગ્રસ્તોને 108 સહિત 7 જેટલી એમ્બ્યુલન્સમાં જબૂગામ અને બોડેલીની હોસ્પિટલોમાં ખસેડાવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Vadodara City Bus Accident: વડોદરા સિટી બસની અડફેટથી વિદ્યાર્થિનીના મોતના વિરોધમાં NSUI દ્વારા ચક્કાજામ

ABOUT THE AUTHOR

...view details