ગુજરાત

gujarat

ભરૂચમાં MPનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી

By

Published : Apr 1, 2021, 8:29 AM IST

મધ્યપ્રદેશનાં CM શિવરાજસિંહ ચૌહાણ બે દિવસની ભરૂચ મુલાકાતે છે. તેઓ આવતીકાલે શુક્રવારે નવસારી ખાતે દાંડિયાત્રામાં ભાગ લેશે. એ પૂર્વે આજે ગુરુવારે ભરૂચ ખાતે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પત્ની સાથે પૂજન અર્ચન કર્યું હતું.

Bharuch
Bharuch

  • દાંડિયાત્રામાં જોડાતા પૂર્વે CMની ભરૂચ મુલાકાત
  • આવતીકાલે શુક્રવારે દહેજ સંગમ પર નર્મદાનું પૂજન અર્ચન કરશે
  • નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજન કર્યું

આ પણ વાંચો :આંધ્રપ્રદેશના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે

ભરૂચ: મધ્યપ્રદેશનાં CM શિવરાજસિંહ ચૌહાણ બે દિવસની ભરૂચ મુલાકાતે છે. તેઓ આવતીકાલે શુક્રવારે નવસારી ખાતે દાંડિયાત્રામાં ભાગ લેશે. એ પૂર્વે આજે ગુરુવારે ભરૂચ ખાતે તેઓ આવી પહોંચ્યાં હતા અને ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પત્ની સાથે પૂજન અર્ચન કર્યું હતું. આવતીકાલે વહેલી સવારે તેઓ દહેજ ખાતે નર્મદા નદીનાં સમુદ્ર સાથે સંગમ સ્થળ પર પૂજન અર્ચન કરશે. ત્યારબાદ ફરીથી તેઓ ભરૂચ આવી ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં સુરત અને ત્યાંથી નવસારી જવા રવાના થશે.

ભરૂચમાં MPનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી

આ પણ વાંચો :LIVE: દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે

નર્મદા મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી

આજે ગુરુવારે શિવરાજસિંહ ચૌહાણ ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સ્થાનિક નેતાઓ અને તંત્રના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને આ પ્રસંગે જણાવ્યું હતું કે, નર્મદા માતા મધ્યપ્રદેશની સમૃદ્ધિ અને ગુજરાતનો વિકાસમાં નર્મદાની કૃપાના આધારે છે, ત્યારે તેઓનું પૂજન અર્ચન કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે

ABOUT THE AUTHOR

...view details