ગુજરાત

gujarat

ધરોઈથી અંબાજીસુધીની સાયકલોથન યાત્રા બાદ અંબાજી મંદિરના ચાચરચોકમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

By

Published : Sep 17, 2022, 10:54 PM IST

ધરોઈથી અંબાજીસુધીની સાયકલોથન યાત્રા બાદ અંબાજી મંદિરના ચાચરચોકમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

મહેસાણા સાયકલ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની (PM Modi Birthday) ઉજવણીના ભાગરૂપે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજવામાં આવી હતી. અંબાજી પહોંચેલા તમામ સાયકલિસ્ટો સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અત્રે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમને (Cultural Program held after Cyclothon Yatra) નિહાળ્યો હતો.

બનાસકાંઠાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસને લઈને (PM Modi Birthday Celebration ) મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજવામાં આવી હતી. આ સાયકલોથન યાત્રા (Dharoi to Ambaji Cyclothon Yatra) ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.

સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતી

આ ટીમની સાથે મિલિન્દ સોમણ પણ જોડાયા આ સાથે આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટોએ (Cyclists participating in a cyclothon) 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબેના દરબારમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે પહોંચ્યા હતા. ખાસ કરીને આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે જન્મ દિવસને લઈ મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજવામાં આવી હતી.

ધરોઈથી શક્તિપીઠ અંબાજી સુધી સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતી. માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધઆયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આજે નરેન્દ્રમોદીના જન્મદિવસને લઈ ગુજરાત ટુરિઝમ અને યાત્રાધામ વિકાસ બોર્ડ (Gujarat Tourism and Pilgrimage Development Board) દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ( Ambaji Temple Cultural program) યોજવામાં આવ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે પહોંચ્યા હતા. જેમાં ધરોઈથી અંબાજી પહોંચેલા તમામ સાયકલિસ્ટો સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અત્રે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. જેને લઈ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનું આકર્ષણ પણ વધ્યું હતું.

નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ સાયકલોથન યાત્રાનરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ યોજાયેલી આ સાયકલોથન યાત્રા સહીત સાંસ્કૃતિક કાર્યક્રમોનો આયોજન સૌપ્રથમ વખત કરવાંમાં આવ્યું છે. જેને ઉપસ્થિત રહેલા ફ્લિમ આર્ટિસ્ટ અને પ્રોડ્યુસર મિલિન્દ સોમણએ પણ સરાહના કરી હતી. ગુજરાત ટુરિઝમ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં યોજવામાં આવ્યા.

ABOUT THE AUTHOR

...view details