ગુજરાત

gujarat

અંબાજીમાં લાભપંચમી પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, અંબે ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

By

Published : Oct 29, 2022, 5:41 PM IST

અંબાજીમાં માં અંબાન દર્શન માટે આજ (Ambaji Darshan on Labhpanchami)સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોની દર્શન માટે પડાપડી જોવા મળી હતી. ભગવાનના આશીર્વાદ લઇને લોકો પોતાના ધંધા રોજગારીની શરૂઆત આજથી કરી હતી. મંદિર પરિષરમાં બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગૂંજી ઉઠ્યા હતા.

અંબાજીમાં લાભપંચમી પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, અંબે ના નાદ થી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર
અંબાજીમાં લાભપંચમી પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, અંબે ના નાદ થી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

અંબાજીઆજે લાભ પાંચમ હતી. લાભ પાંચમના દિવસે (Ambaji Darshan on Labhpanchami) માં અંબાના દર્શનકરવા માટે ભક્તો અંબાજીમાં ઉમટી પડ્યા હતા. ભક્તો એટલી માત્રામાં હતા કે દર્શન માટે માં અંબાના દરબારમાં પડાપડી થઇ રહી હતી. દિવાળીના સમયના દરેક દિવસના કઇક ખાસ મહત્વ રહેલું છે. વાઘ બારસથી લઇને લાભ પાંચમ (Labh Panchami 2022) સુધી અલગ અલગ મહત્વ છે. તો આજના દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

અંબાજીમાં લાભપંચમી પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, અંબે ના નાદ થી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

યાત્રાધામોમાં ભારે ભીડઆજના દિવસે એટલે કે લાભ પાંચમના દિવસે ભક્તોનું ઘોડાપુર (Huge crowd of devotees in Ambaji) દરેક મંદિરે જોવા મળ્યું હતું. ભગવાનના આશીર્વાદ લઇને લોકો પોતાના ધંધા રોજગારીની શરૂઆત આજથી કરી હતી. અંબાજીમાં પણ આજે હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા.

અંબાજીમાં ઉમટ્યા ભક્તોઉલ્લેખનિય છે કે કોરોનાના કારણએ લોકો છેલ્લા બે વર્ષથી કોઇ પણ તહેવાર સારી રીતે ઉજવી શક્યા ન હતા.પરંતુ આ વખતે કોરોનાના કેસો ઓછા હોવાના કારણે લોકોએ સારી રીતે તહેવારને માણયો છે. અને લોકોએ દરેક તિર્થસ્થળ પર જઇને ભગવાનના આશીર્વાદ લીધા છે. કોરોનાના સમયે મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા જેના કારણે લોકો દર્શન પણ કરી શક્તા ન હતા તહેવાર પર. પરંતુ આ વખતે લોકોએ મુક્ત મનથી માં અંબાના દર્શન કર્યા હતા. અને આજ સવારથી જ અંબાજીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીને નતમસ્તક થયા હતા.

અંબે ના નાદ મંદિર પરિસરમાં બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગૂંજી ઉઠ્યા હતા. સવારથી જ માં અંબાના દરબારમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો નવા વર્ષના 5 દિવસ લાભ પાંચમ સુધી અંબાજી કરે છે રોકાણ આ સાથે જ લાભ પાંચમે (Labh Panchami 2022) માતાજીના દર્શન કરી પોતાના ધંધા રોજગારને પેઢીના મુહૃત કરે છે.

ટ્રાફિક સમસ્યા મોટી સંખ્યામાં ભક્તો અંબાજીમાં જોવા મળ્યા પરંતુ બીજી બાજુ ટ્રાફિકના દર્શયો સર્જાયા હતા. કેમકે આજે દિવાળીના પ્રથમ તબક્કાના તહેવારનો આજે અંતિમ દિવસ છે. ગબ્બર ગઢ ઉપર પણ ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details